Tuesday, October 7, 2014

વન્યપ્રાણીઓનાં મોક્ષાર્થે પ્રથમવાર યજ્ઞ.


DivyaBhaskar News Network | Oct 01, 2014, 05:35AM IST

હિન્દુધર્મ સહઅસ્તિત્ત્વની વિભાવના સાથે જીવવાનો પ્રત્યેક માનવીને સંદેશ આપે છે. જેમાં દુનિયાનાં દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાનું પ્રયોજન છે. આની પાછળ પ્રકૃતિનાં જતનનો ઉદ્દેશ પણ રહેલો છે. આપણે ત્યાં માનવીનાં મૃત્યુ બાદ તેનાં મોક્ષાર્થે આપ્તજનો દ્વારા ઉત્તરક્રિયા કરાય છે. જેમાં એક દિવસે હવનની આહૂતિઓ પણ આપવાની થતી હોય છે. ત્યારે ક્રિયા-કર્મ વિશે જેને કશી ખબરજ નથી એવાં વન્ય પ્રાણીઓનાં આત્માની શાંતિ માટે હિન્દુ શાસ્ત્રોમાં ખાસ યજ્ઞનું પ્રાવધાન કરાયું છે. જે મુજબ, ખડીયા ગામે આવેલા પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળનાં ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વન્ય પ્રાણીઓનાં મોક્ષાર્થે એક યજ્ઞનું આયોજન કરાયું છે.

જૂનાગઢ-બિલખા હાઇવે પર આવેલા નાના એવા ખડીયા ગામે કાર્યરત પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળ જીવદયા માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા આગામી તા. 5 ઓક્ટો. નાં રોજ વન્ય પ્રાણીઓનાં આત્માને મોક્ષ મળે માટે જૂનાગઢ-બિલખા હાઇવે પર ખડીયા રોયલ્ટી બસ સ્ટોપ પાસે આવેલા સંસ્થાનાં સંકુલ ખાતે યજ્ઞનું આયોજન કરાયું છે. અંગે મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી આર. જી. અપારનાથીએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જાળવવા માટે તેઓને પણ ધરતી માતાનાં ખોળે મુક્તપણે જીવન જીવવાનો અધિકાર છે. અને માટે આપણે વિશેષ જાગૃતતા દાખવી બંધારણની કલમ 51 મુજબ નાગરિક તરીકેની ફરજો નિભાવવા કટિબદ્ધ બનીએ હેતુને લક્ષમાં લઇ અાયોજન કર્યું છે. દર વખતે વન્ય પ્રાણી સપ્તાહ વખતે ટુક કે પ્રકૃતિ શિક્ષણ વગેરે કાર્યક્રમો તો આપતાજ હોઇએ છીએ. પરંતુ તાજેતરમાંજ જૂનાગઢમાં વાઘેશ્વરી પાસે આતંક મચાવનાર ઘોરખોદિયું જે રીતે મોતને ભેટ્યું વખતે અમને વન્યપ્રાણીઓનાં મોક્ષ માટે હવન કરવાનો વિચાર આવ્યો. માટે અમે શાસ્ત્રી કેતનભાઇ પુરોહિતને પૂછતાં તેમણે પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માટેનું વિધાન હોવાનું જણાવ્યું હતું. અને રાજા રજવાડાં વખતે આવા યજ્ઞો થતા હોવાની વાતને અનુમોદન આપ્યું હતું. યજ્ઞનો સમય સવારે 9 વાગ્યાથી છે. અને બપોરે 4 વાગ્યે બીડું હોમાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમણે જાહેર અપીલ કરી છે.

ઉલ્લેખનયી છે કે, બે દિવસ પછી પ્રારંભ થનારા અનોખા મોક્ષ યજ્ઞ માટે કર્મકાંડી ભૂ-દેવોને મળી ચીજ-વસ્તુ સામગ્રી સહિતની ખરીદી અને તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે અનોખા પ્રયોગમાં વન્ય પ્રાણી પ્રેમીઓ પણ આહુતિ આપવા જોડાય તેવુ આહવાન કરાયું છે.

http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-053505-639802-NOR.html

No comments: