Tuesday, October 7, 2014

બાબરાના રાણપર ગમાપીપળીયા, મીયા ખીજડીયામાં વનરાજ દ્વારા ત્રણ પશુના મારણ.

Sep 30, 2014 00:28બાબરા : બાબરા તાલુકાના નડાળા ગામમાં ખેડૂતના બળદ ઉપર સિંહના નિષ્ફળ હુમલા બાદ એક જ રાતમાં ખીજાયેલા વનરાજાએ નજીકના રાણપર,ગમા પીપળીયા અને મીયા ખીજડીયા ગામની સીમમાં ત્રણ ત્રણ પશુના મારણ કર્યા હતા. રવાડ સમાજની જોકમાં ઘુસવાથી ઘેટા બકરામાં નાસ ભાગ મચી ગઇ હતી બે દિવસ પહેલા નડાળા ગામમાં જેસીંગ ભાઈ બકોતરાની વાડીમાં બાંધેલા બળદ ઉપર સામાન્ય હુમલા બાદ ગત મોડી રાત્રે રાણપર ગામે પરસોતમ ભાઇ કલકાણીની વાડીમાં વાછરડીનું માણ કર્યુ હતુ. ત્ર બાદ ગમાપીપળીયા ગામમાં રાઘવભાઈ આજગીયાના બળદનું મારણ કર્યુ હતુ. મીયાખીજડીયા ગામમાં ભરવાડની જોકમાં પડેલા સિંહના કારણે ૪૦ જેટલી ગાય ભડકી ઉઠી નાસભાગ કરવા લાગી હતી જો કે ત્રણ ગાયો ગુમ હોવાની વિગતો બહાર આવી છે.
http://sandesh.com/article.aspx?newsid=2992718

બાબરા : બાબરા તાલુકામાં છ માસ પહેલા ગોંડલ તાલુકામાંથી આવી ચડેલા વનરાજોએ હાહાકાર મચાવી દીધો હતો એ પછી એની મુળ ટેરીટરીમા ચાલ્યા જતાં હાશકારો થયો હતો. હવે ફરી અહી નડાળાની સીમમાં ધસી આવેલા એક વનરાજે બળદ પર હુમલો કરતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.
   વધુ વિગત મુજબ બાબરા તાલુકાના નડાળા ગામની સીમમાં જેસિગભાઈ વાલેરાભાઈ બકોતરા કપાસના વાવેતરમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે એનો એક બળદ ભાંભરડા નાંખવા લાગતા ત્યાં બધા દોડી ગયા હતા. અને હાકલા પડકારા કરવા લાગતા વનરાજ શિકાર છોડીને નાસી છુટયો હતો.
આથી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. વનવિભાગની તપાસમાં ખેતરમાં સિંહના ફૂટમાર્ક મળી આવ્યા હતા. અને ફરી આ વનરાજ આવે એવી શકયતા હોવાથી વનવિભાગે ખેડૂતોને સતર્ક રહેવા સુચના આપી હતી. આ બનાવથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને બધાએ મળી વનરાજની ખોજ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, બાબરા પંથકમાં આવેલા થોરખાણ તાઈવદર ચરખા, ખંભાળા, લાલકા, વાકિયા વિસ્તારમાં દીપડાનો ત્રાસ વધી ગયો છે. એણે અગાઉ મારણ
કર્યા છે છતાં એને પકડયો નથી. હવે સિંહ પણ આવી જતા માલઢોર જોખમમાં મૂકાયા છે. તેમજ ખુલ્લામાં કામ કરતા મજુરો અને ખેડૂતોની સલામતી પણ જોખમાઈ છે.

No comments: