Tuesday, October 7, 2014

હિંસક ૫શુઓના હુમલાથી મોતને ભેટેલા ૧૨ વ્યકિતઓના પરિવારને ૧૬.૫૦ લાખની સહાય.

Sep 29, 2014 00:00

  • વન્યપ્રાણીઓના હુમલાના ૧૨૦ બનાવ
ધારી : ગીર પૂર્વના જંગલ વિસ્તારમાં સિંહ દીપડા કે વન્ય પ્રાણીઓએ કરેલા હુમલામાં મોતને ઘાટ ઉતરી ગયેલા ૧૨ વ્યકિતઓના વારસોને ડીએફઓ અંશુમાન શર્માએ ૧૬.૫૦ લાખની સહાય ચૂકવી છે. ગીર પૂર્વમાં હિંસક પ્રાણીઓ દ્વારા ચારના અને ૨૦૧૨માં પ ના તેમજ ૨૦૧૩માં ૩ માનવમોત નિપજયા હતા. આ ઉપરાંત વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરીને ઈજા પહોંચાડવાના ૨૦૧૧માં ૩૩, ૨૦૧૨માં ૪૯, અને ૨૦૧૩-૧૪માં ૩૧ મળી કુલ ૧૨૦ બનાવ બન્યા હતા જેને વળતર પેટે ૩.૬૫ લાખ અને માનવમૃત્યુના કિસ્સામાં એના વારસદારોને ડીએફઓ અંશુમાન શર્માએ ૧૬.૫૦ લાખની સહાય ચૂકવી છે.
http://sandesh.com/article.aspx?newsid=2992389

No comments: