Tuesday, October 31, 2017

સંસ્થાના 128 સ્વયંસેવકો આપશે 24 કલાક સેવા

DivyaBhaskar News Network | Last Modified - Oct 25, 2017, 02:40 AM IST
છેલ્લાત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર સંસ્થાએ પરિક્રમાને પ્લાસ્ટીકથી મુકત રાખવા માટેના પ્રયાસો કર્યા છે અને તેમાં...
સંસ્થાના 128 સ્વયંસેવકો આપશે 24 કલાક સેવા
છેલ્લાત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર સંસ્થાએ પરિક્રમાને પ્લાસ્ટીકથી મુકત રાખવા માટેના પ્રયાસો કર્યા છે અને તેમાં સફળતા મળતા ચોથા વર્ષે પણ કામગીરી જારી રાખી છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 5 ટન જેટલો પ્લાસ્ટીકનો જથ્થો ગીર અભ્યારણ્યમાં જતો અટકાવ્યો છે.31 ઓકટોબરથી શરૂ થનાર પરિક્રમામાં સંસ્થાના 128 જેટલા સ્વયંસેવકો 24 કલાક સેવા આપી પરિક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટીના ઝભલાં, બેગ લઇને બદલામાં વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરશે.આ માટે છેલ્લા 2 માસથી પ્રકૃતિમિત્રની ટીમના કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે. કાર્યમાં રાજુ એન્જીનીયર્સના રાજુભાઇ દોશી, વન મેન આર્મીના સંયોજક કે.બી. સંઘવી, હેમંત નાણાંવટી, વિભાકર જાની તેમજ અનેક પર્યાવરણ પ્રેમીઓનો સહકાર સાંપડી રહ્યો હોવાનું પ્રકૃતિ મિત્રના ચેરપર્સન એન્ડ ફાઉન્ડર પ્રો.ડો.ચિરાગ ગોસાઇએ જણાવ્યું છે.

No comments: