Tuesday, October 31, 2017

જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું

DivyaBhaskar News Network | Last Modified - Oct 24, 2017, 02:50 AM IST
કુદરતનો ક્રમ : નર સિંહ નર બચ્ચાને મારી નાખે : વનતંત્ર જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જમાં ગ્રોફેડ મીલ...
જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું
જૂનાગઢનાં ગ્રોફેડ પાસે ઇનફાઇટમાં માસનું સિંહ બાળ મોતને ભેટ્યું
કુદરતનો ક્રમ : નર સિંહ નર બચ્ચાને મારી નાખે : વનતંત્ર

જૂનાગઢનાંગિરનાર દક્ષિણ ડુંગર રેન્જમાં ગ્રોફેડ મીલ પાસેનાં રેવન્યુ વિસ્તારમાં ગત રાત્રીનાં નર સિંહે એક માસનાં નર સિંહ બાળને મારી નાખ્યું છે. ઇનફાઇટમાં સિંહ બાળનું મોત થયું છે. સામાન્ય રીતે કુદરતનાં ક્રમ મુજબ નરસિંહ નર બચ્ચાને મારી નાખે છે.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં પ્લાસવા, પાદરીયા, ડુંગરપુર, ગ્રોફેડમિલ વિસ્તારમાં સિંહનો વસવાટ જોવા મળે છે. ગ્રોફેડ મિલની નજીક રેવન્યુ વિસ્તાર છે વિસ્તારમાં પણ વારંવર સિંહ પહોંચી જાય છે. હાલ વિસ્તારમાં સિંહ, સિંહણ અને બે બચ્ચા જોવા મળતા હતાં. રવિવારે મોડી રાત્રીનાં ઇનફાઇટમાં માસનાં નર સિંહનું મોત થયું હતું. ઘટનાનાં પગલે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ જે.એ.મિયાત્રા અને સ્ટાફ દોડી ગયા હતાં અને મૃતસિંહ બાળનો કબજો સંભાળી પીએમ માટે સક્કરબાગમાં ખસેડ્યું હતું. અંગે આરએફઓ જે. એ. મિયાત્રાએ જણાવ્યું હતું કે, માસનાં સિંહ બાળનું મોત થયું છે. સામાન્ય રીતે કુદરતનાં ક્રમ મુજબ હંમેશા નર સિંહ નર સિંહ બાળને મારી નાખે છે.

સિંહ પરિવારનો માળો વિંખાયો

વિસ્તારમાં એક સિંહણ સાથે બે સિંહ બાળ હતાં જેમાંથી એક સિંહબાળનું ગત રાત્રીનાં મોત થયું છે. હવે એક સિંહણ અને સિંહબાળ રહયાં છે.

સિંહણને પગમાં ઇજા | ગ્રોફેડમિલ વિસ્તારમાં એક સિંહણને પગમાં ઇજા છે. સામાન્ય ઇજા કોઇ મુશ્કેલી નથી. વન વિભાગે જણાવ્યું હતું કે, સામાન્ય ઇજામાં સિંહ પોતાની જીભથી ચાંટી ઘા ભરતા હોય છે.

No comments: