Tuesday, October 31, 2017

અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો


બચ્ચાની સુરક્ષા માટે લટકતો માળો બનાવે છે ઘરચકલી ઇંડા અને બચ્ચાની સુરક્ષાને લઇ વધુ સંવેદનશીલ હોય છે. ઘર ચકલી...
અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો
અબાબીલ ચકલીએ માટીનો માળો બનાવ્યો,ઘર ચકલીએ તેમા કરી લીધો કબજો
બચ્ચાની સુરક્ષા માટે લટકતો માળો બનાવે છે

ઘરચકલી ઇંડા અને બચ્ચાની સુરક્ષાને લઇ વધુ સંવેદનશીલ હોય છે. ઘર ચકલી ઘાસનો લટકતો માળો બનાવે છે. લટકતા માળા એટલા બજબુત હોય છે કે વરસાદ,તોફાનમાં પણ નીચે પડતા નથી અને સરળતાથી બચ્ચા જીવન પસાર કરે છે.

કેવીરીતે થાય છે બચ્ચાની સુરક્ષા ?

ઘરચકલીનો માળો ઉપરથી પહોંળો અને નીચેથી ગોળાકાર હોય છે.ઉતર તરફથી માળમાં આવા જવાનો રસ્તો હોય છે.નીચેની તરફ બે ભાગ હોય છે.એકમાં માદા ચકલી ઇંડા મુકે છે. ઇંડા વાળો ભાગ બંધ રહે છે જેથી શત્રુથી ઇંડા અને બચ્ચાની રક્ષા થઇ શકે અને માળો માદા અને નર ચકલી સાથે મળી માળો બનાવે છે.

જૂનાગઢ : ઘર ચકલી ઘાસનો માળો બનાવે છે અને અબાબીલ ચકલી માટીનો માળો બનાવે છે. અબાબીલ ચકલી પોતાનાં થુક અને ભીની માટીની મદદથી માળો બનાવે છે અને માળામાં ઇંડા મુકે છે. અબાબીલ ચકલીએ બનાવેલા માળામાં ઘર ચકલીએ કબજો કરી લીધો છે. ઘર ચકલી સામાન્ય રીતે ઘાસનાં માળામાં રહે છે. પરંતુ માળો બનાવવાની મહેનત કરવી પડે તે માટે અબાબીલ ચકલીનાં માળામાં કબજો કરી લીધો છે અને ઇંડા મુક્યાં છે.

No comments: