Tuesday, October 31, 2017

અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો


Bhaskar News, Amreli | Last Modified - Oct 10, 2017, 02:16 AM IST
િંજરા મારફતે જસાધાર એનીમલ સેન્ટરમાં મોકલી દેવાયો હતો.
અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો
અભરામપરા ખાતે આવી ચડેલા દિપડાને સારવાર અર્થે એનીમલ સેન્ટરમાં ખસેડાયો
અમરેલી: સાવરકુંડલાના અભરામપરા ગામે આજે સવારે 8:30 કલાકે મહેન્દ્રભાઇ પટેલની વાડીમાં રહેણાંક મકાનમાં દિપડો ઘુસી જતા વાડીનાં ભાગીયા વિનુભાઇએ તુરંત સમય સુચકતા જાળવી મકાનને તાળુ મારી દીધુ હતું. અને તુરંત જ વન વિભાગને ટેલીફોનીક જાણ કરતા વન વિભાગની ટીમ ડોક્ટર સાથે વાડીએ પીંજરા સાથે આવી પહોંચી હતી. અને મકાનમાં પુરાયેલા દિપડાને બેભાન કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
દિપડાની ઉંમર 14 વર્ષ હતી. તેને ગળા – કાન અને આગળ પાછળના ભાગે ઇજા થઇ હોય તેને વેટરનરી ડો. હિતેશ વામજાએ સારવાર કરી હતી. ત્યારબાદ તેને પિંજરા મારફતે જસાધાર એનીમલ સેન્ટરમાં મોકલી દેવાયો હતો. ડો. હિતેશ વામજાએ આ ઇજાના નિશાન ઇનફાઇટમાં થયાન હોવાનું જણાવ્યું હતું. તસ્વીર- સૌરભ દોશી

No comments: