Tuesday, October 31, 2017

ડાંડિયારાસ નિહાળી રહેલા યુવકને સર્પે દંશ દેતા મોત

DivyaBhaskar News Network | Last Modified - Oct 03, 2017, 02:40 AM IST
ખાંભાતાલુકાના સરાકડીયા દિવાન ગામમાં રહેતા રામભાઈ ધીરુભાઈ ભુકણ નામના યુવાન બે દિવસ પહેલા અહી રાત્રીના સમયે...
ડાંડિયારાસ નિહાળી રહેલા યુવકને સર્પે દંશ દેતા મોત
ખાંભાતાલુકાના સરાકડીયા દિવાન ગામમાં રહેતા રામભાઈ ધીરુભાઈ ભુકણ નામના યુવાન બે દિવસ પહેલા અહી રાત્રીના સમયે ખેતરના શેઢે આવેલ માતાજીના મઢ પાસે દાંડિયારાસ હોવાથી મંદિર પાસે બેઠો હતો. તે દરમિયાન અચાનક સર્પે આવીને તેમના પગના ભાગે દંશ દીધો હતો. બાદ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યુ હતુ.

No comments: