Tuesday, October 31, 2017

ચોરવાડ પાસે વિફરેલી સિંહણે વનકર્મી સહિત બેને કર્યા ઘાયલ


Bhaskar News, Chorvad | Last Modified - Oct 23, 2017, 02:08 AM IST
ધોરીવાવ વાડી વિસ્તારની ઘટના, સિંહબાળ વિખુટા પડતા ભૂરાઇ થઇ
ચોરવાડ: ચોરવાડ વાડી વિસ્તારમાં સિંહબાળથી વિખુટી પડેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ચોરવાડ પંથકનાં ખેરા ગામે બે દિવસ પહેલા સિંહ પરિવારે પશુનું મારણ કર્યુ હતું. બાદમાં સિંહણ અને બે સિંહબાળ ચોરવાડ વાડી વિસ્તાર ધોરીવાવમાં ચઢી આવ્યાં હતાં. જયાંથી બે સિંહબાળ વિખુટા પડી ગયાં હતાં.
આ વિસ્તારમાં સિંહણ દેખાતા લોકો જોવા માટે દોડી ગયા હતાં અને ગુસ્સે ભરાયેલી સિંહણે લોકોનાં ટોળામાંથી વનકર્મી હરદાસ વાસા રબારી તથા રમેશ માવજી ભદ્રેશા પર હુમલો કરી ઇજા પહોંચાડયાનું આરએફઓ શીલુએ જણાવ્યું હતું. આ બંનેને સારવાર અર્થે ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

No comments: