Tuesday, October 31, 2017

ગિરનાર રોડ પર વહેલી સવારે વનરાજે કર્યું મારણ, લોકો જોવા ઉમટ્યા

Bhaskar News, Junagadh | Last Modified - Oct 25, 2017, 03:37 AM IST
જૂનાગઢનાં ગિરનાર રોડ પર વનરાજની એન્ટ્રી હવે જૂનાગઢવાસીઓ માટે કોઇ નવી વાત નથી
રોજ મધરાત્રે એકાદ આંટો તો અહીં સાવજો મારે જ છે
જૂનાગઢ: જૂનાગઢનાં ગિરનાર રોડ પર વનરાજની એન્ટ્રી હવે જૂનાગઢવાસીઓ માટે કોઇ નવી વાત નથી. રોજ મધરાત્રે એકાદ આંટો તો અહીં સાવજો મારે જ છે. ક્યારેક રોડ ક્રોસ કરતી વખતે પણ જોવા મળી જાય. પરંતુ ગઇકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં પાજનાકા પાસે બરાબર રોડ પર જ એક ડાલામથ્થાએ ગાયનું મારણ કરતાં રાહદારીઓ તેને જોવા એક તરફ ઉભી ગયા હતા. જોકે, ડીવાઇડરની બીજી બાજુએથી આરામથી વાહનો પસાર થતા હતા. જાણેકે, ગિરનારમાં વસતા સાવજોને માનવીની આ અવરજવર માફક આવી ગઇ હોય એમ જરાય ડીસ્ટર્બ નથી કરતી.

No comments: