Tuesday, October 31, 2017

સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા

DivyaBhaskar News Network | Last Modified - Oct 24, 2017, 02:50 AM IST
સક્કરબાગને પ્રવાસીઅો થકી 12 લાખથી વધુની આવક થઇ દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા...
સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા
સક્કરબાગમાં 7 દિવસમાં 69 હજાર પ્રવાસીઓ આવ્યા
સક્કરબાગને પ્રવાસીઅો થકી 12 લાખથી વધુની આવક થઇ

દિવાળીનીરજા માણવા જૂનાગઢ અને સોરઠ આવતા પ્રવાસીઓ પૈકી ઘણા સક્કરબાગની મુલાકાત પણ લેતા હોય છે. જૂનાગઢમાં ફરવા નિકળ્યા હોય સિવાય દિવ, સાસણ કે સોમનાથથી પરત જતી વખતે જૂનાગઢમાં ખાસ સક્કરબાગ જોવા રોકાતા લોકોની સંખ્યા પણ ઓછી નથી હોતી.

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં છેલ્લા 7 દિવસમાં 69,045 થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. અને તેઓ થકી સક્કરબાગ ઝૂને 12 લાખથી વધુની આવક થઇ છે. એમ ઝૂનાં આરએફઓ કે. કે. રાયજાદાએ જણાવ્યું હતું. જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે ઉપરકોટ, અશોકનો શિલાલેખ, સક્કરબાગ ઝૂની મુલાકાત લે છે. જેમાં સૌથી વધુ આકર્ષણ સક્કરબાગ ઝૂનું હોય છે. કારણકે, સહેલાણીઓના ગૃપનાં બાળકોને અહીં સૌથી વધુ મજા પડી જાય છે. પાંજરામાં પૂરાયેલા સિંહ-દિપડા-વાઘ-રીંછ સહિતનાં પ્રાણીઓને જોઇ નાના બાળકો હેરત પામી જતા હોય છે. તો કેટલાય બાળકો પાંજરા પાસે સેલ્ફી લેવાનો કે ગૃપ ફોટો પડાવવાનો આનંદ પણ માણતા હોય છે. સહેલાણીઓનું એક ગૃપ અહીં ઓછામાં ઓછું 3 કલાક તો રોકાય છે. વન્ય પ્રાણીઓ વિશેની અવનવી જાણકારી વિશેનાં પુસ્તકો, મધ, ટીશર્ટ, જંગલ કેપ, સહિતની ચીજવસ્તુઓની પણ કેટલાય અહીંની શોપ પરથી ખરીદી કરી જૂનાગઢની યાદગિરી સાથે લઇ જતા હોય છે. હજુ લાભપાંચમ સુધી સકકરબાગ ઝુમાં પ્રવાસીનો ટ્રાફિક જોવા મળશે.

તા. 22 ઓક્ટો. ને રવિવારે છેલ્લા 7 દિવસમાં સૌથી વધુ 17,793 પ્રવાસીઓ નોંધાયા હતા. અને તેમના થકી રૂ. 3,49,520 ની આવક ઝૂને થઇ હતી.

સૌથી વધુ પ્રવાસીઓ રવિવારે આવ્યા

વાઘ બારસથી પ્રવાસીઓની વધ્યા

તારીખસંખ્યા

16-10-2017 2723

17-10-2017 1753

19-10-2017 3802

20-10-2017 16,614

21-10-2017 14,358

22-10-2017 17,793

23-10-2017 12,000 થી વધુ

કુલ 69,045 થી વધુ

No comments: