Wednesday, February 28, 2018

જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:10 AM IST
જૂનાગઢ જીઆઇડીસી-2માં ગતરાત્રે ચાર સિંહ આવી ચડ્યાં હતાં અને રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ ઘટનાનાં પગલે... 

જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ
જૂનાગઢ જીઆઇડીસી-2માં ચાર સિંહે વાછરડાનું મારણ કર્યુ
જૂનાગઢ જીઆઇડીસી-2માં ગતરાત્રે ચાર સિંહ આવી ચડ્યાં હતાં અને રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ ઘટનાનાં પગલે લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં. ગિરનાર જંગલમાંથી હવે વન્ય પ્રાણી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યાં છે. જંગલ બોર્ડનાં જૂનાગઢમાં વારંવાર સિંહ,દીપડા જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ચાર સિંહ જૂનાગઢ જીઆઇડીસી-2માં આવી ચડ્યાં હતાં અને જીઆઇડીસીમાં આંટાફેરા કર્યા હતાં. બાદ રોડ પર જ એક વાછરડાનું મારણ કર્યુ હતું. આ સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકોનાં ટોળા એકઠા થઇ ગયા હતાં. રોડ પર વાહન પણ થંભી ગયા હતાં. રસ્તો પણ બંધ થઇ ગયો હતો.

No comments: