Saturday, February 24, 2018

તાર ફેન્સીંગને ભુલથી અડકી જતા વીજશોકથી યુવકનું મોત

DivyaBhaskar News Network | Last Modified - Feb 12, 2018, 02:00 AM IST
જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ બારૈયાનો પુત્ર અહી આવેલ રમેશભાઇની વાડીએ ગોઠવેલા તાર ફેન્સીંગમા અડી જતા...
તાર ફેન્સીંગને ભુલથી અડકી જતા વીજશોકથી યુવકનું મોત
જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ બારૈયાનો પુત્ર અહી આવેલ રમેશભાઇની વાડીએ ગોઠવેલા તાર ફેન્સીંગમા અડી જતા તેને વિજશોક લાગતા તેનુ મોત નિપજયું હતુ આ બારામા તેણે રમેશભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના વાપળીયાપરામા રહેતા ભરતભાઇ નારણભાઇ બારેયાનો પુત્ર અહી આવેલ રમેભાઇ કરશનભાઇ સાંખટની વાડીએ તેણે ઘઉનુ વાવેતર કર્યુ હતુ. ફરતે તાર ફેન્સીંગ કરી તેની વાડીના વિજ કનેકશનમાથી ગેરકાયદે વિજ જોડાણ કરી વિજ પ્રવાહ ચાલુ રાખી ધ્યાન નહી રાખતા ભરતભાઇનો દિકરો તારને અડકી જતા તેને વિજ શોક લાગતા મોત નિપજયું હતુ.

ત્યારે આ અંગે ભરતભાઇએ રમેશભાઇ સાંખટ સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પીઆઇ આર.ટી.ચનુરા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1097207-NOR.html

No comments: