Wednesday, February 28, 2018

200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન

લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્સાટહી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્યુકારીટર...
200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન
200 પેટીમાં મધમાખીના ઉછેર થકી બહોળુ મધનું ઉત્પાદન
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્સાટહી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્યુકારીટર એન્જિનનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો પ્રારંભ કર્યો.

નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ પ્રેરણા આપે એવો એમની વાતોમાં કોમ્યુ કરવટર એન્જિેનિયર હોવા છતાંય અત્યંનત સરળતા અને સાદગી જોવા મળી. મધમાખીની ખેતી-ઉછેરની વાત કરતા જ મનિષભાઇના પહેલા શબ્દોિ હતા કે મારે કંઇક નવું કરવું છે, મેં આ ખેતી શરૂ કરતા મધ્યઇપ્રદેશ, મહારાષ્ટ્રક અને બીજા કેટલાય સ્થાળો પર ફર્યો હતો. સૌરાષ્ટ્ર નું વાતાવરણ લગભગ બધા જ પાક માટે અનુકૂળ, જ્યાં કુદરત મન મૂકીને આપે ત્યાં આ મધમાખીનો ઉછેર-ખેતી પણ સફળ જ નીવડે એમ હતી.

રાજય સરકારના બાગાયત વિભાગ દ્વારા રાષ્ટ્રી ય બાગાયત મિશન અંતર્ગત રૂ.૧.૧૦ લાખની સહાય મેળવી શરૂઆત ૫૦ પેટીથી કરી, અત્યા રે ૨૦૦ પેટીમાં મધમાખીઓ છે. જેથી મધનું ઉત્પાેદન બહોળા પ્રમાણમાં મળી રહે છે, તેમ મનિષભાઇએ જણાવ્યું. મધમાખી ઉછેરની ખાસિયત એ છે કે જે ખેતરમાં મૂકીએ-રાખીએ એ ખેતરમાં જે પાક હોય તે પાકમાં ફૂલમાંથી ફળમાં રૂપાંતરણ-ફલીકરણની પ્રક્રિયા વધુ સારી રીતે થાય એટલે પાક ઉત્પામદન વધુ મળે પણ એથી વધુ સારી બાબત એ કે ગુણવત્તાયુક્ત ઉત્પાથદન મળે છે. મધમાખીના ઉછેરની સાથે મધ ઉત્પાાદન પણ થાય ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે અન્યમ પાકોનું જંગી ઉત્પામદન કરવાની તક સાંપડી શકે છે. મધુક્રાંતિના ક્ષેત્રમાં કંઇક નવું કરવાની તક મને મળી શકે તો હું પોતાને સદ્દભાગી સમજું. દેશ-વિદેશમાં મધના વેચાણની ઉમદા તકો છે ત્યાારે સમગ્ર ભારતના ખેડૂતો આ મધમાખીની ખેતી તરફ આગળ વધે તે મારા માટે આનંદની ક્ષણ હોય શકે છે. જેમને મધમાખી ઉછેરની અથ થી ઇતિ જાણવી હોય તે મનિષભાઇનો મો.૮૨૦૦૧ ૭૯૯૧૦ પર સંપર્ક કરી શકશે.

મધની વિશેષતાઓ જોતા તેને કલ્પ તરૂ સમાન કહી શકાય

મનિષભાઇએ કહ્યું કે, મધ એ માત્ર ઔષધિ નહિ એ ખોરાકમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. મધ એ વજન ઉતારવા, ચામડીના રોગો ખાસ કરીને સોરાયસીસ, પાચનક્રિયાને સક્રિય કરવા, અનિંદ્રા દૂર કરવા, શારીરિક દુર્બળતા દૂર કરવા સહિત મધના અનેકવિધ ઉપયોગ છે. સોરાયસીસની સમસ્યાધ ધરાવતા હોય તેમને ૧૦૦ ટકા અકસીર સારવાર મધના પ્રયોગથી મળી રહે છે. મધની વિશેષતાઓ જોતા તેને કલ્પમતરૂ સમાન કહી શકીએ.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020003-1179709-NOR.html

No comments: