Wednesday, March 31, 2010

પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા દૈનિક રપ૦ કિલો બરફનો ઉપયોગ.

જૂનાગઢ, તા.૩૦:

ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાણીના છંટકાવ દ્વારા પ્રાણીઓને અપાતી ઠંડકમાં નવતર પ્રયોગના ભાગરૃપે પાણીને વધુ ઠંડુ બનાવવા માટે દરરોજ રપ૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પાણી વાઘ અને રીંછના પાંજરામાં છાંટવામાં આવી રહ્યું છે.

દેશના અગ્રણી પ્રાણીસંગ્રહાલયોમાં સ્થાન ધરાવતા સક્કરબાગ ઝૂમાં દરવર્ષે ઉનાળા દરમિયાન પ્રાણીઓ સહિતના વન્યજીવો માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે ઝૂ સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉનાળામાં બપોરના સમયે પાણી પણ ગરમ થઈ જતું હોવાથી છંટકાવ કરવા છતા ઓછુ અસરકારક રહેતું હતું. માટે પાણીની ટાંકીમાં દરરોજ રપ૦ કિલો જેટલો બરફ નાખીને વધારે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ અને કાળા રીંછના પાંજરામાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલમાં ગરમી ઓછી થઈ હોવાથી બરફ એકકાંતરા ઉમેરવામાં આવે છે.

ઝૂ ડાયરેક્ટર વી.જે.રાણાના કહેવા પ્રમાણે વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહના પાંજરામાં ખાસ ફૂવારા અને પક્ષીઓનાં પાંજરામાં કંતાનો લપેટીને વ્યવસ્થા ઉભી કરાઈ છે. કંતાનો પર દર બે કાલકે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. તેમજ વન્યજીવોને ઠંકડ આપવા માટે પાંચ કર્મચારીઓને માત્ર આ કામગીરી જ સોંપવામાં આવી છે. સક્કરબાગ ઝૂના દરેક પ્રાણી, જળચર, પક્ષી અને સરીસૃપો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બ્લડ લાઈન ચેન્જ માટે માદા હિપો, સારસ અને વરૃ લવાયા
જૂનાગઢ તા.ર૯ : સકકરબાગછ ઝુ મા ચાલી રહેલા વન્ય પ્રાણીઓના બ્રિડીંગ સેન્ટર માટે ૧૪ વર્ષની માદા હિપોપોટેમસ તેમજ એક જોડી સારસ પક્ષી અને એક જોડી વરૃને લાવવામાં આવ્યા છે. જૂનાગઢના સકકરબાગ ઝૂ માં આ તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરંતુ બ્લડ લાઈન ચેન્જ કરવા માટે અઠવાડીયા અગાઉ આ નવા જીવો લવાયા છે. જેમાં ૧૪ વર્ષનો માદા હિપો કાનપુર ઝુ તેમજ બે સારસ અને એક વરૃ લખનૌ તથા એક વરૃ જયપુરથી લાવવામાં આવ્યું છે. ઝુ માં ડાયરેકટર રાણાના જણાવ્ય પ્રમાણે બ્રિડીંગમાં જાતોમાં વિવિધતા આવે તેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173236

No comments: