Thursday, April 30, 2015

જૂનાગઢથી દરરોજ 10 મણ રાવણા પહોંચે છે દિલ્હી.

જૂનાગઢથી દરરોજ 10 મણ રાવણા પહોંચે છે દિલ્હી
  • DivyaBhaskar News Network
  • Apr 27, 2015, 05:00 AM IST
જૂનાગઢનાંઓઝત કાંઠાના અને વંથલી પંથકમાં પાકતા રાવણાની માંગ દિલ્હીમાં પણ વધી છે. જૂનાગઢમાં રોજનાં 10 મણ રાવણા દિલ્હીમાં પહોંચે છે. અહીં 80નાં કિલો વેંચાતા રાવણા દિલ્હીની બજારમાં 250 રૂપિયે કિલો વેંચાય છે.

ઉનાળાની ઋતુમાં ફળોમાં જેમ કેરી પ્રખ્યાત છે તેમ કાળા રંગના મીઠા અને મધુર રાવણા પણ એટલા પ્રખ્યાત છે. રાવણા ઉનાળાની ઋતુમાં વોર્મિંગને કારણે વરસાદી માવઠાઓ આવતા ખેતરોના બધા પાકોની જેમ રાવણામાં ઉત્પાદનમાં પણ નુકશાન થયું છે. છતાં પણ વર્ષે રાવણાની આવક ગયા વર્ષ કરતા વધારે થવાની શકયતા છે.

જૂનાગઢનાં ઓઝત કાંઠાના વિસ્તારમાં અને વંથલી પંથકમાં રાવણાનું ઉત્પાદન વધુ જોવા મળે છે. આથી ત્યાંથી રાવણાની આયાત કરી વધુ ભાવ માટે બહાર મોકલવામાં આવે છે. જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર છેલ્લા અઠવાડીયાથી 15 થી 20 મણ સુધીની રાવણાની આવક થાઇ રહી છે. જેમાંથી સારી ગુણવતાના રાવણાનાને એકઠા કરવામાં આવે છે. ત્યાર પછી સારી ગુણવતા વાળા રાવણાને દિલ્હી મોકલી વેપારીઓ ધંધામાં નફો મેળવવા માટેનું એક સાધ્ય બનાવ્યું છે.

રાવણા દિલ્હી કેવી રીતે મોકલવામાં આવે છે

સારીગુણવતાવાળા રાવણાના રાવણા એકઠા કરી બોક્ષમાં પાર્સલ કરી ટ્રેન મારફતે દિલ્હી પહોંચાડાય છે.

ગ્લોબલવોર્મિંગથી પાકમાં થયુ છે નુકશાન

જૂનાગઢમાર્કેટયાર્ડના વેપારી રાજુભાઇએ જણાવ્યુ હતુ કે, ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદી માવઠાઓને કારણે બધા પાકોની જેમ રાવણામાં પણ નુકશાન થયુ છે. છતા પણ આવકમાં વધારો થશે તેવી આશા છે.

રાવણાઔષધીય દ્રશ્ટીએ પણ ગુણકારી

ઉનાળાનીઋતુમાંઉનવા, પથરી જેવા પેશાબનાં રોગો થતા હોય છે ત્યારે રોગો માટે રાવણા આર્શીવાદરૂપ બની રહે છે.

યાર્ડમાં તૈયાર કરાતા રાવણા /- તસ્વીર: મીલાપ અગ્રાવત

No comments: