Thursday, April 30, 2015

વાતો કાગળ પર: માલગાડીએ રાજુલા નજીક 3 સિંહબાળના ટુકડે ટુકડાં કર્યાં.

વાતો કાગળ પર: માલગાડીએ રાજુલા નજીક 3 સિંહબાળના ટુકડે ટુકડાં કર્યાં
Bhaskar News, Rajula
Apr 09, 2015, 13:52 PM IST
 
સાવજોના વિનાશ સાથે વિકાસ નથી જોઇતો : બાટાવાળા

ગીર લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં વિકાસની લ્હાયમાં સાવજોનો વિનાશ થઇ રહ્યો છે. રેલવેતંત્ર અને વનતંત્ર સાવજોની રક્ષા માટે માત્ર વાતો કરે છે અને યોજનાઓ બનાવે છે. પરંતુ બીજી તરફ સાવજો ટપોટપ મરી રહ્યા છે. પરપ્રાંતિય ટ્રેન ચાલકો આ માટે સૌથી વધુ જવાબદાર છે. ગીરના સાવજોએ આ દેશની અમુલ્ય ધરોહર છે. તેના ભોગે અમારે વિકાસ નથી જોઇતો.

સિંહો માટે ટ્રેન વિલન બની

ફેબ્રુઆરી 2014માં રાજુલાના ભેરાઇ નજીક બે સિંહણના ટ્રેઇન હડફેટે મોત ગર્ભવતી સિંહણના પેટમાં રહેલ ત્રણ બચ્ચા પણ મોતને ભેટ્યા
એક માસ બાદ સાવરકુંડલાના ભમ્મર નજીક ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત
સાસણ નજીક ખાખીયાનેસ પાસે ટ્રેઇન હડફેટે સિંહનું મોત
જામવાળા નજીક ટ્રેઇન હડફેટે મોતને ભેટ્યો હતો સિંહ
નાગેશ્રીના દુધાળા નજીક વાહન હડફેટે મૃત્યુ પામ્યા હતાં બે સિંહબાળ

No comments: