Thursday, April 30, 2015

પાણીયાદેવમાં કુવામાં પડેલી નિલગાયને બચાવી લેવાઇ.


DivyaBhaskar News Network

Apr 07, 2015, 03:35 AM IST

ચલાલાનજીક આવેલ પાણીયાદેવ ગામની સીમમાં આવેલ વાડીના કુવામા એક નિલગાય ખાબકી હતી. અંગે વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને મહામહેનતે નિલગાયને કુવામાંથી સલામત રીતે બહાર કાઢી સારવાર આપી મુકત કરી દેવામા આવી હતી.

નિલગાય કુવામા ખાબકયાની ઘટના ચલાલા નજીક આવેલ પાણીયાદેવ ગામે બની હતી. અહી મેપા ભગતની વાડીએ આવેલ કુવામા એક નિલગાય ખાબકી હતી. કુવો પાણી ભરેલો હોવાથી નિલગાય બે દિવસ સુધી કુવામા પડી રહી હતી. ત્યારે અહીના આગેવાન ચંપુભાઇ વાળાની નજરે નિલગાય પડતા તેઓએ તુરત ડીએફઓ અંશુમન શર્માને જાણ કરી હતી.

ડીએફઓની સુચનાને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રાત્રીના દસેક વાગ્યાના સમયે નિલગાયને કુવામાંથી કાઢવા કામગીરી કરવામા આવી હતી. મહામહેનતે નિલગાયને કુવામાથી સલામત રીતે બહાર કાઢવામા આવી હતી અને જરૂરી સારવાર આપવામા આવી હતી અને મુકત કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રેવન્યુ વિસ્તારમાં અનેક વખત શિકારની શોધમાં નીકળેલા વન્યપ્રાણીઓ કુવામા ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે.

No comments: