Thursday, April 30, 2015

રાજુલા પંથકના ધારેશ્વરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો.


રાજુલા પંથકના ધારેશ્વરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો



Bhaskar News, Rajula

Apr 25, 2015, 01:05 AM IST
 
- વનવિભાગનો સ્ટાફ દોડી ગયો : કુદરતી રીતે મોત થયાનું વનવિભાગનું તારણ

રાજુલા: ગીર જંગલમાં વસતા સિંહ, દીપડા હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે મોડીરાત્રીના એક દીપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દીપડાનો મૃતદેહ મળી આવવાની આ ઘટના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે ગઇકાલે મોડીરાત્રીના બની હતી ધારનાથવાળા મેડા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આરએફઓ ધાંધિયા, ફોરેસ્ટર રાઠોડ, ચાંદુભાઇ, ગોહિલભાઇ, પઠાણભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો.

વનવિભાગે દીપડાનો મૃતદેહ કબજે લઇ બાબરકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને બાદમાં ત્યાં જ અગ્નિદાહ અપાયો હતો. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દીપડો આશરે 15 વર્ષની ઉંમરનો હતો અને તેનું કુદરતી રીતે મોત થયાનું વનવિભાગે પ્રાથમિક તારણ આપ્યું હતું.

No comments: