Thursday, April 30, 2015

સા.કુંડલાના અભરામપરામાંથી 8 નીલગાયના મૃતદેહ મળ્યાં.


સા.કુંડલાના અભરામપરામાંથી 8 નીલગાયના મૃતદેહ મળ્યાં


Bhaskar News, Savarkundla

Apr 25, 2015, 00:25 AM IST
 
- યુરિયાવાળુ પાણી કે ખોરાકથી મોત થયાનુ પ્રાથમિક તારણ

ખાંભા,સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં આઠ નીલગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગે વાડીની આસપાસ પાણી અને ખોરાકના નમુના એફએસએલમા મોકલવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત આઠેય મૃતદેહોને આ વિસ્તારમાં જ દફન કરવામા આવ્યા હતા. નીલગાયોના મોત યુરિયાવાળુ પાણી કે અન્ય ખોરાક ખાવાથી મોત થયાનુ વનવિભાગે પ્રાથમિક તારણ જણાવ્યું હતુ.

એકસાથે આઠ નીલગાયના મોતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના અભરામપરાની સીમમાં બની હતી. અહી આવેલ રવજીભાઇ ભીખાભાઇ વેકરીયાની વાડીમાં આઠ નીલગાયના મૃતદેહ પડયા હોવાની જાણ થતા વનવિભાગને જાણ કરવામા આવતા અહી એસીએફ મુની, ટી.બી.જોષી, ટી.એ.ચાંદુ, રામાણી સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો.  વનવિભાગે આસપાસમાંથી પાણી અને ખોરાકના નમુના જુનાગઢ ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મૃતદેહોમાં સાત માદા અને એક નર હોવાનુ જાણવા મળ્યું હતુ. વનવિભાગે આ વિસ્તારમાં જ ઉંડા ખાડાઓ ખોદી નીલગાયોના મૃતદેહો દફન કર્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

No comments: