Thursday, April 30, 2015

ખાંભાનાં ભાડમાં ઘરમાં ઘુસી દીપડાએ 5 બકરાને ફાડી ખાધા.

Bhaskar News, Khambha
Apr 04, 2015, 00:36 AM IST

 
- ગ્રામજનોમાં ફફડાટ : દીપડાને પાંજરે પૂરવા માંગ

ખાંભા: ખાંભા તાલુકાના ભાડ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દિપડાની રંજાડના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ગતરાત્રીના દિપડાએ પાંચ બકરાના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

દિપડો ઘરમા ઘુસી જવાની આ ઘટના ખાંભા તાલુકાના ભાડ ગામે બની હતી. અહી ગતરાત્રીના બારેક વાગ્યાના સુમારે અહી રહેતા શારદાબેન રઘુરામભાઇ નિમાવતના ઘરમા અચાનક દિપડો ઘુસી આવ્યો હતો. દિપડાએ ઘરના ફરજામા બાંધેલા પાંચ બકરાનુ મારણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અગાઉ પણ આ દિપડાએ આ જ ઘરમાં ઘુસી બકરાનુ મારણ કર્યુ હતુ.

ઘટનાને પગલે ભાડ ગામના સરપંચ રસીકભાઇએ લેખિતમા વનવિભાગને રજુઆત કરી આ દિપડાને તાકિદે પાંજરે પુરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડીયા પહેલા પણ આ દિપડાએ અહી રહેતા ભોજાભાઇ ગોકળભાઇના ઘરમાં ઘુસી એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. આ દિપડાની છેલ્લા કેટલાક સમયથી રંજાડ હોવાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિપડાના ભયના કારણે રાત્રીના સમયે ખેડૂતો ખેતરોમાં જતા પણ ડર અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા તાકિદે અહી પાંજરૂ ગોઠવી આ દિપડાને પકડવાની કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા દિપડાઓ પણ હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

વન વિભાગ ધ્યાન દેતું નથી

ખાંભાના ભાડ ગામે દિપડાએ ઘરમાં ઘૂસી પાંચ બાંધેલા બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. અગાઉ પણ વન વિભાગને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં પાંજરા મુકવામાં આવતા નથી અને દિપડાને પુરવાની કામગીરી કરવામાં ન આવતા લોકો તંત્રની કામગીરી સામે રોષે ભરાયા છે.

No comments: