Thursday, April 30, 2015

કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું.

કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું
Bhaskar News, Amreli
Apr 24, 2015, 02:23 AM IST
 
કુવામાં પડેલ નિલગાયના બચ્ચાને બચાવવી લેવાયું
અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા સ્ટાફ દોડ્યો

અમરેલી: અમરેલી તાલુકાના વાંકીયા ગામે આવેલ એક વાડીના ખુલ્લા કુવામા વહેલી સવારે એક નિલગાયનું બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે ગ્રામજનોને જાણ થતા તુરત વનવિભાગને જાણ કરવામા આવતા અહી વનવિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને મહામહેનતે નિલગાયના બચ્ચાને કુવામાંથી સલામત રીતે બહાર કાઢવામા આવ્યું હતુ. 

નિલગાયનુ બચ્ચુ કુવામા પડ જવાની આ ઘટના અમરેલી તાલુકાના વાંકીયા ગામે બની હતી. અહી ડો. ધીરૂભાઇ મોહનભાઇ અકબરીની વાડીએ આવેલા ખુલ્લા કુવામા નિલગાયનું બચ્ચુ ખાબકયુ હતુ. આ અંગે વિનુભાઇ પાંચાભાઇ રાદડીયાને જાણ થતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરતા અહી ફોરેસ્ટર ભનુભાઇ, પ્રકાશ બિહારી, ફિરોજભાઇ તેમજ માધાભાઇ અને મનુભાઇ વિગેરે દોડી આવ્યા હતા. 

ઘટનાની જાણ થતા અહી ગ્રામજનો પણ એકઠા થયા હતા અને ટ્રેકટર, દોરડા વિગેરેની મદદથી નિલગાયના બચ્ચાને કુવામાંથી સલામત રીતે બહાર કાઢી સારવાર આપી મુકત કરી દેવામા આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અનેક વિસ્તારોમાં નીલગાયની સંખ્યા વધુ હોય અવારનવાર આવા બનાવો બનતા રહે છે.

No comments: