Thursday, April 30, 2015

લીલીયામાં બે માસમાં દવની નવ ઘટનાના પગલે ગાંધીનગરથી PCCF દોડી આવ્યા.

લીલીયામાં બે માસમાં દવની નવ ઘટનાના પગલે ગાંધીનગરથી PCCF દોડી આવ્યા
Bhaskar News, lilia
Apr 14, 2015, 01:36 AM IST
 
બૃહદગીરમાં વસતા વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે સમિક્ષા બેઠક
પંતેએ ડીએફઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી

 
લીલીયા: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં છેલ્લા બે માસમાં દવની નવ નવ ઘટનાઓ બનતા અહી મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિને નુકશાની પહોંચી છે. ત્યારે અહી અવારનવાર બનતી દવની ઘટના બાબતે ગાંધીનગરથી પી.સી.સી.એફ અહી દોડી આવ્યા હતા અને સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.
 
બૃહદગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં બાવળનુ જંગલ સાવજોને અનુકુળ હો તેમજ ખોરાક અને પાણી મળી રહેતુ હોવાથી અહી સાવજો વસવાટ કરી રહ્યાં છે. બૃહદગીરમાં છેલ્લા બે માસમાં જ દવની નવ નવ ઘટનાઓ બનતા અહી મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓને નુકશાની પહોંચી છે. આ વિસ્તારમાં દવની ઘટનાઓ વધતા ગાંધીનગરથી સી.સી.એફ એસ.સી.પંત, ડીએફઓ અંશુમન શર્મા સહિત અધિકારીઓએ બૃહદગીર વિસ્તારની મુલાકાત લીધી હતી.
 
સીસીએફ અને ડીએફઓએ સ્થાનિક વનતંત્રના સ્ટાફ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. આગામી દિવસોમાં બૃહદગીર વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષાને લઇને કડક પગલા લેવામા આવશે. અધિકારીઓએ અહીના શેઢાવદર, ક્રાંકચની સીમ વિસ્તાર સહિતના સ્થળોની જાત મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યુ હતુ.

No comments: