Thursday, April 30, 2015

ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા ને લોકો સિંહદર્શન કરતા રહ્યા.


ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા ને લોકો સિંહદર્શન કરતા રહ્યા

Bhaskar News, Amreli

Apr 19, 2015, 00:45 AM IST
ખાંભા: ખાંભા પંથકમાં છેલ્લા ઘણા સમયથી લાયન શોની ઘટનાઓ વધી પડી છે. ત્યારે ખાંભા તાલુકાના ભાંવરડી ગામે ગતરાત્રીના પાંચ સાવજો શિકારની શોધમાં અહી આવી ચડયા હતા. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. જો કે સાવજોની ડણકોથી ગ્રામજનો જાગી ગયા હતા અને અહી સિંહદર્શન માટે ઉમટી પડતા સાવજો મારણ મુકી સીમમાં ચાલ્યા ગયા હતા.

- લાયન શો માં કાર્યવાહી કરવાને બદલે વન કર્મીઓએ મારણ સગેવગે કરી દીધું
- ભાંવરડીમાં સાવજોએ કરેલા મારણને ગ્રામજનોએ સાંકળથી વીજપોલમાં બાંધી દીધું
- લોકો સિંહદર્શન કરતા રહ્યા અને ભૂખ્યા સાવજો ગામની આસપાસ ટળવળતા રહ્યા

બાદમાં કોઇએ મારણને વિજપોલ સાથે સાંકળથી બાંધી દીધુ હતુ. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આ મારણને છોડાવી દસેક કિમી દુર નાખી દીધુ હતુ. જેને પગલે સાવજો ભુખ્યા ગામની આસપાસ જ ટળવળતા નજરે પડયા હતા. ત્યારે મારણ કોણે વિજપોલ સાથે બાંધ્યુ ? અને વનકર્મીઓએ શા માટે આટલુ બધુ દુર મારણ નાખી દીધુ તે અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામા આવે તે જરૂરી છે.

સાવજોની સુરક્ષા માટેની જવાબદારી જેના શીરે છે તેવુ વનતંત્ર કયારેક નિષ્ઠુર બની જાય છે. ખાંભાના ભાંવરડી ગામે ગઇકાલે રાત્રે કંઇક આવી જ ઘટના બની હતી. અહી એકસાથે પાંચ સાવજો શિકારની શોધમાં આવી ચડયા હતા અને એક ગાયનુ મારણ કર્યુ હતુ. અહી લોકો સિંહદર્શન માટે ઉમટી પડતા સાવજોને મારણ મુકીને ભાગવુ પડયુ હતુ. બાદમા વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ દોડી આવ્યો હતો. કોઇએ મારણને વિજપોલ સાથે સાંકળથી બાંધી દીધુ હોય તેને છોડાવી અહીથી દસેક કિમી દુર નાખી દેવામા આવ્યુ હતુ.
સાવજો મારણ માટે ગામની આસપાસ જ આખી રાત આમથી તેમ ભટકતા જોવા મળ્યાં હતા. આ મારણ વિજપોલ સાથે કોણે બાંધી દીધુ ? આ ઉપરાંત જયારે સાવજો મારણ કરે ત્યારે સાવજો મારણ પુરેપુરૂ ખાય જાય ત્યાં સુધી વનવિભાગના સ્ટાફને હાજર રહેવુ પડે છે પરંતુ અહી તો વનવિભાગના સ્ટાફે મારણને છોડાવી દસ કિમી સુધી દુર નાખી આવ્યાનુ કહેવાય રહ્યું છે.

ઘટના અંગે તટસ્થ તપાસ કરાશે- ડીએફઓ શર્મા

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે ભાંવરડીની ઘટના અંગે મને જાણકારી મળી છે. તસ્વીરમાં દેખાતા તમામ લોકોની પુછપરછ કરાશે તેમજ જે કોઇ વ્યકિતએ મારણને સાંકળથી વિજપોલ સાથે બાંધી દીધુ છે તેની સામે પણ તપાસ કરી ગુનો દાખલ કરવામા આવશે.

No comments: