Thursday, April 30, 2015

સાવજોના વિસ્તારમાં ટ્રેનની કમાન સૌરાષ્ટ્રના ડ્રાઇવરોને સોંપવા માંગ સાવજોના વિસ્તારમાં ટ્રેનની કમાન સૌરાષ્ટ્રના ડ્રાઇવરોને સોંપવા માંગ.

DivyaBhaskar News Network
Apr 11, 2015, 04:35 AM IST

અમરેલીજિલ્લામાં પીપાવાવ પોર્ટ તરફ જતી આવતી માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટના વધી રહી છે ત્યારે ગીર લાયન નેચર ફાઉન્ડેશને વન અને રેલ મંત્રાલયને રજુઆત કરી માંગણી ઉઠાવી છે કે ઘટનાઓ પાછળ પરપ્રાંતિય ડ્રાઇવરો જવાબદાર છે. આવા સંજોગોમાં સાવજોના વિસ્તારમાં ટ્રેન પ્રવેશે ત્યારે સૌરાષ્ટ્રના વતની હોય તેવા જાણકાર ડ્રાઇવરોને ટ્રેન ચલાવવા દેવામા આવે.

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે સાવજોના પ્રકારે કમોત માટે માલગાડીના પરપ્રાંતિય ડ્રાઇવરો જવાબદાર છે. પરપ્રાંતિય ડ્રાઇવરોને સાવજો વિશે કોઇ પ્રકારની જાણકારી હોતી નથી. એટલુ નહી કયા વિસ્તારમાં સાવજો છે, કયાં સૌથી વધુ સાવચેતી રાખવી તેના વિશે પણ માહિતી હોતી નથી. રેલવે તંત્ર દ્વારા તેને કોઇ સુચના આપવામા આવતી નથી. જેને પગલે તેમણે વન અને રેલ મંત્રાલયને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે ટ્રેન સાવજોના વિસ્તારમાં આવે ત્યારે સૌરાષ્ટ્રના વતની અને વિસ્તારના જાણકાર ડ્રાઇવરોને હવાલે થવી જોઇએ તો સાવજોની રક્ષા થઇ શકશે.

તેમણે એમપણ જણાવ્યું હતુ કે જેવી રીતે થોડા થોડા અંતરે સાવજોની હાજરી અંગે બોર્ડ મુકવાની જરૂર છે તેમ ટ્રેક પર દર બસો મીટરે વિજળીના પોલ મુકી વધારાની લાઇટની વ્યવસ્થા પણ થવી જોઇએ જેથી ટ્રેનના ડ્રાઇવરોને દુરથી સાવજો નજરે પડી શકે. હાલમાં ઉનાળામાં પાણી માટે સાવજોને ખુબ ભટકવુ પડે છે. તેના માટે અવારનવાર આમથી તેમ રેલવે ટ્રેક ઓળંગવા પડે છે. વન તંત્રએ સાવજો માટે પાણીની પણ પુરતી વ્યવસ્થા કરવી જોઇએ.

No comments: