Thursday, April 30, 2015

ક્રાંકચની સીમમાં ફરી એકવાર સાવજનું ઘર સળગ્યું : બે માસમાં દવની 9મી ઘટના.

ક્રાંકચની સીમમાં ફરી એકવાર સાવજનું ઘર સળગ્યું : બે માસમાં દવની 9મી ઘટના
Bhaskar News, Liliya
Apr 06, 2015, 01:23 AM IST
 
- એક હજાર વિઘામાં વન્યસૃષ્ટિ સાફ: વન વિભાગ પગલા લેવામાં લાચાર

લીલીયા: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના સાવજોના વિસ્તારમાં વારંવાર દવની ઘટનાઓ બની રહી છે ત્યારે આજે ફરી એકવાર  ક્રાંકચની સીમમાં બપોર બાદ દવની શરૂઆત થઇ હતી. અને રાત સુધીમાં અહીં એક હજાર વીઘા કરતા જધુ વિસ્તારમાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ મોડી રાત્રે પણ દવ કાબુમાં આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જીલ્લાના રેવન્યું વિસ્તારમાં સાવજોની જયાં સાવજોની સૌથી વધારે વસતિ છે તે ક્રાંકચ તથા આસપાસનો વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી વારંવાર દવમાં ભડકે બળી રહ્યો છે.અત્યાર સુધીમાં આ વિસ્તારમાં દવની આઠ ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આજે નવમી વખત દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ક્રાંકચની સીમમાં નાધવણ અને મેહડો તરીકે ઓળખાતા વિસ્તારમાં આજે બપોર બાદ દવની શરૂઆત થઇ હતી.

આજે પવન પણ વધારે હોવાથી દવ ખુબ જ ઝડપથી પ્રસરી ગયો હતો. અને જોતજોતામાં એક હજાર વિઘાથી વધુ વિસ્તારમાં દવના કારણે વન્ય સૃષ્ટિ નાશ પામી હતી. દવની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક આરએફઓ અગ્રવાલ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં. જો કે દર વખતે બને છે તેમ તેઓ અહીં થોડો સમય રોકાઇ પરત ફરી ગયા હતાં. કારણ કે આજે જ્યાં દવ લાગ્યો હતો તે મહદઅંશે ખાનગી માલીકીની જગ્યા હતી. માડો રાત્રે પણ આ દવ કાબુમાં આવ્યો ન હોવાનું જાણવા મળેલ છે.

No comments: