Thursday, April 30, 2015

ગીરનારી ગીધની તપાસ માટે આજે નાયબ વનસંરક્ષક જૂનાગઢમાં.


DivyaBhaskar News Network

Apr 27, 2015, 04:55 AM IST
બહુચર્ચીત ગીરનાર રોપ-વે પ્રોજેકટ માટે અનેક વખત જેમનાં નામનો ઉલ્લેખ થયો ગીરનારી ગીધની સુરક્ષા અને તપાસ માટે આવતીકાલે નાયબ વનસંરક્ષક વોરા પોતાની ટીમ સાથે જૂનાગઢ આવી રહયાં હોવાનું જાવા મળી રહયું છે. હાલનાં તબક્કે મામલો ભારે ચર્ચાનો વિષય છે કારણ કે, છેલ્લા કેટલાય દાયકાથી સમગ્ર જૂનાગઢની નજર ગીરનાર રોપવે પ્રોજેકટ પર મંડાયેલી છે.છેલ્લા કેટલાય સમયથી લટકી રહેલા ગીરનાર રોપ-વે પ્રોજેકટ વિશે અનેક બાબતો ચર્ચામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ સમિતિની મંજુરી સહિતનાં મુદ્દાઓ ઘણી વખત ઉખડયા અને ફરી દબાયા ત્યારે ફરી એક વખત અા મામલે એક નવો વળાંક જોવા મળી રહયો છે. રોપ વે માટે અવરોધો ગણાઇ રહેલ ગીરનારી ગીધની સુરક્ષા અને તપાસ માટે નાયબ વનસરંક્ષક વોરા અને તેની ટીમ આવતીકાલે જૂનાગઢ આવી રહી હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. જોકે બાબતે કયા - કયાં મુદાઓ સાંકળવામાં આવશે તેના પર શું નિર્ણયો લેવાશે તે જોવું રહયું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગીરનારી ગીધ અંગેનો રીપોર્ટ તૈયાર થયો હતો. છેલ્લે ગણના થઇ મુજબ 100 થી વધુ ગીધનાં માળા હોવાનું સામે આવ્યું છે.

No comments: