Thursday, April 30, 2015

લીલીયા પંથકમાં દવની ઘટના અટકાવવા તંત્રની દોડધામ.


Bhaskar News, Liliya
Apr 13, 2015, 00:07 AM IST
 
- બે માસમાં નવ નવ વખત દવ લાગતા પેટ્રોલીંગ વધારાયું

લીલીયા : લીલીયાના બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવારનવાર દવ લાગવાની ઘટનાઓ બની રહી છે. છેલ્લા બે માસમાં નવ નવ વખત ખાનગી સીમોમાં ભયંકર દવ લાગવાની ઘટનાઓ બની છે જેના કારણે મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓ નાશ પામી છે. ત્યારે દવની ઘટનાઓ અટકાવવા વનતંત્રએ કવાયત હાથ ધરી છે અને આ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગની કામગીરી શરૂ કરવામા આવી છે.

બૃહદગીર વિસ્તાર એવા લીલીયા, ક્રાંકચના બાવળના જંગલોમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજોને અહી શિકાર, પાણી વિગેરે પુરતા પ્રમાણમાં મળી રહે છે. જેને પગલે અહી સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહીના વિસ્તારમાં છેલ્લા બે માસથી દવ લાગવાની ઘટનાઓ વધી પડી છે. અહી નવ નવ વખત દવ લાગતા મોટા પ્રમાણમાં વન્યસૃષ્ટિઓનો નાશ થયો છે. આ ઘટનાઓ ડીએફઓ ગુર્જરના ધ્યાને આવતા દવની ઘટનાઓ પર કાબુ મેળવવા સ્થાનિક આરએફઓ બી.પી.અગ્રાવત, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામા આવ્યું છે.

આરએફઓ અગ્રવાલે જણાવ્યું હતુ કે બૃહદગીરમાં દવની ઘટનાઓ માનવસર્જીત છે. બૃહદગીરના શેઢાવદર, ક્રાંકચ સહિતના વિસ્તારોમાં સ્થાનિક ટ્રેકરો, વનમિત્રોને પેટ્રોલીંગ ગોઠવી દીધાનું જણાવ્યું હતુ. બૃહદગીરના ક્રાંકચના બાવળના જંગલોમાં તેમજ શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં આ સાવજો વસવાટ કરી રહ્યાં છે.

આરએફઓ રાઠોડે જણાવ્યું હતુ કે શેઢાવદર, ક્રાંકચ, જુના સાવર વિસ્તારમાં દવ લાગવાની ઘટના બને છે તે માટે સ્થાનિક ખેડૂતો, પશુ પાલકોને રૂબરૂ મળી તકેદારી રાખવા સુચના આપવામા આવી છે. અને આવનારા દિવસોમાં પણ જંગલમાં આગ ન લાગે તે માટે વન તંત્ર દ્વારા પણ પુરી ચોકસાઇ રખાશે.

No comments: