Thursday, April 30, 2015

ગિરનાર દરવાજાથી ફોરટ્રેક બનાવવા 7 દબાણો હટાવાયા.

ગિરનાર દરવાજાથી ફોરટ્રેક બનાવવા 7 દબાણો હટાવાયા
  • DivyaBhaskar News Network
  • Apr 29, 2015, 04:55 AM IST
જૂનાગઢશહેરમાંથી ભવનાથ જવા માટે વર્ષોથી ડબલ ટ્રેકને ફોરટ્રેક કરવાની કામગિરી હાથ ધરાઇ છે. જેમાં ઘણુંખરું કામ પૂરું થઇ ગયું છે. જ્યારે ગિરનાર દરવાજાથી સોનાપુરી સુધીના માર્ગને ફોરટ્રેક કરવાની કામગિરી દબાણોને લીધે આગળ વધી નહોતી. રોડ પર 2 પાકાં મકાનો, 2 દિવાલ, 3-4 કાચાં મકાનો મળી 7 દબાણોને આજે દબાણ હટાવ અધિકારી ભરત ડોડીયાની આગેવાની હેઠળની ટુકડીએ દૂર કર્યા હતા. અંગે નગર ઇજનેર લલિત વાઢેરે જણાવ્યું હતું કે, જમીન વર્ષો પહેલાં જમીન સંપાદન કચેરીએ ફોર ટ્રેક રોડ બનાવવાનાં હેતુથીજ પવડી માટે સંપાદન કરી લીધી હતી. પરંતુ બાદમાં પવડીએ કોઇ કારણોસર તેને દૂર કરવાની કામગિરી કરીજ નહોતી. આથી ફોરટ્રેક બનાવવાનું કામ જ્યારે મનપાને હસ્તક આવ્યું ત્યારે સ્વાભાવિકપણેજ દબાણો દૂર કરવાની કામગિરી પણ અમારાજ શિરે આવી. જમીન સંપાદન કચેરીએ અમને કાગળો નથી. આપ્યા. તો પવડીએ દબાણો દૂર પણ કરી દીધા. આથી અમે શહેરનાં હિતમાં જમીન સંપાદનનાં સ્ટાફને સાથે રાખી ડીમાર્કેશન કરાવ્યું. અને બાદમાં તેને દુર કરી દીધું. આજે દબાણો દૂર કર્યા બાદ હવે વાઘેશ્વરી મંદિરની જગ્યાનાં ભાડુઆતને નોટીસ આપી 24 કલાકની મુદ્દત અપાશે. જગ્યાનાં વહીવટદાર ખુદ મામલતદાર હોવાથી તેને જાણ કરાઇ છે. અને જગ્યા પણ ખુલ્લી કરાવાશે.

8 માસમાં રોડ તૈયાર

કામશરુથયા બાદ અગામી 8 માસમાં ફોરટ્રેક રોડ સંપૂર્ણપણે તૈયાર થઇ જશે. જોકે, તેના પર ફોરટ્રેક જેટલાં વાહનો તો આગામી બેએક માસમાંજ ચલાવી શકાય એવો બની જશે. ત્યારબાદ તેમાં ડીવાઇડર, વગેરે અનેક કામો બધું મળી 8 માસમાં પૂરાં કરી દેવાશે. એમ સુત્રોનું કહેવું છે.

^ગિરનાર દરવાજે લવીંગ વાવથી સોનાપુરી સામે અશોકનાં શિલાલેખ સુધીનો રોડ ફોરટ્રેક બનાવવા માટે આવતીકાલે રૂપિયા 6 થી 7 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. અને ત્યારબાદ રોડનું કામ શરુ કરાશે. > લલિતવાઢેર, નગરઇજનેર, મનપા

આવતીકાલે ટેન્ડર બહાર પડશે

ગિરનાર દરવાજાથી સોનાપુરી સુધીનાં દબાણો હટાવાયા. / મેહુલચોટલીયા

No comments: