Tuesday, April 24, 2018

આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી

Bhaskar News, Khambha | Last Modified - Apr 04, 2018, 01:40 AM IST
ટીખળીખોરો દ્વારા સાવજોની પજવણી ? પજવણી કરનારા સામે તંત્ર દ્વારા પગલા લેવા માંગ

આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી
આદસંગ નજીક 12 સાવજોનો પડાવ, બળદનું મારણ કરી મિજબાની માણી
પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભા રાજુલા હાઇવે ઉપર આવેલ આદસંગ નજીક છેલ્લા 2 દિવસથી 12 જેટલા સિંહોએ ડેરા તંબુ તાણ્યા છે. ત્યારે આ સિંહો દ્વારા હાઇવે નજીક જ એક બળદનું મારણ કર્યું છે. ત્યારે અહીંથી પસાર થતા લોકો તેમજ સિંહપ્રેમીઓ આ સિંહોની ઝલક જોવા અહીં દોડી ગયા હતા. અહી ટીખળીખોર તત્વો દ્વારા સિંહોને હેરાન કરવામા આવ્યા હોવાનુ પણ સામે આવ્યું છે. આ સિંહોને હેરાન કરવા બાબતે સાવરકુંડલા રેન્જના મિતિયાળા રાઉન્ડના વનવિભાગના કર્મચારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.
પ્રથમ આ રાઉન્ડના વનવિભાગના કહેવાતા અધિકારીઓ દ્વારા જાણ કરનારને સ્પષ્ટપણે આવવાની ના કહી દીધી હતી.જો કે ત્યારબાદ વધારે રજુઆત મળતા મિતિયાળા રાઉન્ડનો વનવિભાગ સ્ટાફ ઘટના સ્થળે મોડેમોડે પહોંચ્યો હતો. બપોરના એક ટીખળીખોર ટોળાએ તો હદ કરી નાખી હતી અને રીતસર સિંહો પાછળ બે બાઇક દોડાવી આનંદ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં તપાસ હાથ ધરી સિંહોની પજજણી કરનારા સામે પગલાં લેવાની સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.
વનવિભાગનો સ્ટાફ જાણ કરવા છતાં મોડો આવ્યો
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-12-lion-killed-the-bull-near-adasang-of-khambha-gujarati-news-5844200-NOR.html

No comments: