Friday, April 27, 2018

સુત્રાપાડા: બે બાળકોને ફાડી ખાનાર આદમખોર દીપડો પાંજરે પૂરાયો

Jayesh Gondhiya, Una | Last Modified - Apr 21, 2018, 11:59 AM IST
માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા 6 કિલોમીટરમાં 17 પાંજરા મુકવામાં આવ્યા હતા
 
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મોરડીયા ગામમાં છેલ્લા ત્રણ મહિનામાં બે બાળકોને ફાડી ખાનાર આદમખોર દીપડો પાંજરામાં પૂરાયો છે. આ માનવભક્ષી દીપડાને લઇને ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. પરંતુ પાંજરે પૂરાતા જ
ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા 6 કિલોમીટરમાં 17 પાંજરા મુકવામાં આવ્યા હતા
આ માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. છેલ્લા છ દિવસથી વન વિભાદ દ્વારા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. છેલ્લા છ દિવસથી વન વિભાગે 6 કિલોમીટરના વિસ્તારમાં 17 પાંજરા મુક્યા હતા. અંતે પાંજરે
પૂરાતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-panther-caught-in-cart-in-sutrapada-by-forest-department-gujarati-news-5856598-PHO.html

No comments: