Tuesday, April 24, 2018

જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ

Bhaskar News, Rajula | Last Modified - Apr 07, 2018, 02:27 AM IST

જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ
જાફરાબાદનાં નાગેશ્રીની સીમમાં બીડમાં દવ, 60 વિઘા વિસ્તારનો નાશ
રાજુલા: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમા આજે બપોરે સહિયારા બીડ તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમા અચાનક દવ લાગતા 50 થી 60 વિઘા વિસ્તારમા વન્યસુષ્ટિનો નાશ થયો હતો. આ વિસ્તારમા સાવજોનો પણ વસવાટ છે. દવની આ ઘટના નાગેશ્રીના સહિયારા બીડમા બની હતી. બપોરના એકાદ વાગ્યાના સુમારે અહી અચાનક દવની શરૂઆત થઇ હતી. પવનની ગતિ પણ વધારે હોવાના કારણે જોતજોતામા દવ પ્રસરીને 50 થી 60 વિઘામા ફેલાઇ ગયો હતો.
વન વિસ્તરણ વિભાગના અધિકારીઓને જાણ થતા વનરક્ષક એ.ડી.વાળા, અજયભાઇ કોટીલા, વિજયભાઇ વરૂ, ગામના સરપંચ, તલાટી અને ગામ લોકો અહી મોટી સંખ્યામા દોડી ગયા હતા અને દવને કાબુમા લેવા પ્રયાસ કર્યો હતો. સાંજ સુધીમા અહી દવને કાબુમા લેવાયો હતો. દવના કારણે અહીની વન્યસૃષ્ટિને નુકશાન થયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાનો આરંભ થયા બાદ અમરેલી જિલ્લામા જુદાજુદા રેવન્યુ વિસ્તારમા પણ દવની ઘટનાઓ અવારનવાર બની રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-bead-fire-in-nageshri-border-of-jafarabad-gujarati-news-5846498-NOR.html

No comments: