Friday, April 27, 2018

ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે

DivyaBhaskar News Network | Last Modified - Apr 27, 2018, 06:40 AM IST
ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા 50...
ખેડૂતોના પાકને જંગલી પશુથી રક્ષણ આપવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ બનાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા 50 ટકા સબસીડી આપવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે કુલ 172 અરજીઓ આવી હતી જેમાંથી 72ને મંજૂરી આપવામાં આવી છે જયારે 44 અરજીઓ પેન્ડીંગ રખાઇ છે. જોવાની ખૂબી એ છે કે મંજૂરી મેળવેલ 72 અરજીમાંથી માત્ર 14માં જ કામ પુર્ણ થયું છે જયારે 6નું કામ ચાલુ છે.

બાકીના ખેડૂતોએ કામગીરી શરૂ કરી નથી. આમ, ઉદાસીનતાને કારણે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. 172 પૈકી 99 અરજી સરકારી યોજનાનો લાભ મેળવવા પાત્રતા ધરાવતી હતી પરંતુ ચેકિંગ દરમિયાન નિતી નિયમ મુજબ 72 અરજીઅો જ પરિપૂર્ણ હોય તેમને મંજૂરી અપાઇ હતી. જયારે29 અરજી અપાત્ર ધરાવતા તેને ના મંજૂર કરાઇ હતી અને 44 અરજીઓ પેન્ડીંગ રખાઇ હતી. આમ, સરકારની સારી યોજના પણ ખેડૂતોની આળસના કારણે કારગત નિવડતી નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-064003-1564293-NOR.html

No comments: