Friday, April 27, 2018

તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે

DivyaBhaskar News Network | Last Modified - Apr 20, 2018, 02:55 AM IST
તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે આ કમિટીમાં જિલ્લા કલેકટર હસ્તકની... 
તાજેતરમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ત્યારે આ કમિટીમાં જિલ્લા કલેકટર હસ્તકની સાર્વજનીક જગ્યાનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જૂનાગઢની સુન્ની શેખ જમાઅત બારા શહિદ સંસ્થાના એમ.એ. શેખે પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવ્યું છે કે ઉપલા દાતાર, નિચલા દાતાર, પંજેતન અસાયબાપીર,ગેંડા અગર, સકરીયા ટીંબા નોઝો બીબી મકબરા બારા શહિદ, માઇગઢેચી, ગૌરીપીર, મિયાંમામુદશાહ નકશબંદી મકબરા વગેરે ગિરનાર ક્ષેત્ર વિસ્તારની નજીકમાં આવેલ છે. ત્યારે આ મામલે સત્વરે ઘટતું કરી જિલ્લાની કલેકટર હસ્તકની સાર્વજનીક જગ્યાની યાદી મુજબ સ્મારકોને ન્યાય મળે તે મુજબ કામ કરવા આવી જગ્યાને ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવી લેવા રજૂઆત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-025503-1505169-NOR.html

No comments: