Saturday, August 31, 2019

માંડળ ગામમાં 2 સિંહોએ 8થી વધુ પશુનું મારણ કર્યું, ગામલોકો ભેગા થતા સિંહો ભાગ્યા

  • ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી  

Divyabhaskar.com

Jul 31, 2019, 11:10 AM IST
અમરેલી: રાજુલાના માંડળ ગામમાં ગત રાતે 3 વાગ્યા આસપાસ 2 સિંહો ઘૂસી ગયા હતા અને ગામમાં સૂતેલા રેઢીયાર પશુના શિકાર કર્યા હતા. 8થી વધુ પશુના મારણ કર્યા અને મીજબાની માણી હતી. રાત્રીના સમયે અનેક ખેડૂતોએ સિંહોના નજારો જોયો હતો પરંતુ સિંહો શિકારની શોધમાં હોવાને કારણે સ્થાનિક લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. ત્યારબાદ વહેલી સવારે સિંહોએ મીજબાની માણી ગામમા આવેલા હનુમાનજીના મંદિરમાં આરામ કર્યો હતો. આશરે 1 કલાક જેટલો સમય સિંહોએ અહીં વિતાવ્યો હતો. વહેલી સવારે ગામલોકો ભેગા થતા સિંહો વાડી વિસ્તાર તરફ ભાગ્યા હતા.
ગામલોકોએ સિંહોનો ઘેરાવ કરતા રઘવાયા બન્યા હતા
વહેલી સવારે ચારે તરફ ગામ લોકોના ટોળા એકઠા થતા સિંહોનો ઘેરાવ થયો હતો. આથી સિંહો રઘવાયા થયા હતા. થોડીવાર માટે ગામની બહાર કેવી રીતે નીકળવું તે સિંહો નીકળી શકતા ન હતા. આખરે ગામ લોકોની સંખ્યા વધી ત્યારબાદ ગામની પાછળ આવેલ ખેતર વાડી વિસ્તારમાંથી સિંહો બહાર નીકળ્યા હતા. જો કે આ મામલે વનવિભાગની ટીમ પણ આજે તપાસ કરી રહી છે. કેટલા પશુના મારણ કર્યા અને કેવી રીતે કરવામાં આવ્યા તેને લઈને તપાસ સ્થાનિક ફોરેસ્ટરો કરી રહ્યા છે.
સિંહના પંજા કેમેરામાં કેદ થયા
પ્રથમ વખત સિંહોના સગડ સામે આવ્યા છે. અહીં વરસાદી માહોલ હતો અને કાદક કીચડના કારણે સિંહો જે રીતે ચાલીને ગયા હતા તેને લઈને તેના સગડ અહીં જોવા મળ્યા હતા અને સમગ્ર સગડ હતા તે કેમેરામાં કેદ થયા છે.
(રિપોર્ટ અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-hunt-8-more-animal-in-mandal-village-of-rajula-1564551746.html

No comments: