Saturday, August 31, 2019

ગીરનાં દેવળિયાનાં સૂરજગઢ પાસે 8 માસનાં સિંહબાળનું મોત

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • ફેરણા દરમિયાન ફિલ્ડ સ્ટાફને મૃતદેહ જોવા મળ્યો

Divyabhaskar.com

Aug 30, 2019, 10:29 AM IST
જૂનાગઢ:સાસણ ગીરની દેવળિયા રેન્જના જંગલમાંથી વનવિભાગના સ્ટાફને એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પીએમની તજવીજ હાથ ધરી છે. મૃત સિંહબાળની વય આશરે 6થી 8 માસની હોવાનું જાણવા મળ્યું છે.
પીએમ રિપોર્ટ બાદ સિંહબાળનું મોત કેવી રીતે થયું તે જાણી શકાશે
મળતી વિગત મુજબ સાસણ ગીર જંગલમાં દેવળિયા રેન્જના વાણીયાવાવ રાઉન્ડની સુરજગઢ બીટમાં વન વિભાગનાં કર્મચારીઓને ફેરણા દરમ્યાન એક સિંહ બાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ મૃતદેહ લીમડાવાળા ગાળામાંથી મળી આવ્યો હતો. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ હતી. અને તેના પીએમ માટે વેટરનરી તબીબોને સુચના અપાઇ હતી. સિંહબાળનું મોત ક્યા કારણથી થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે પીએમ થયા બાદ જ ખબર પડી શકશે કે કેવી રીતે સિંહબાળનું મોત થયું છે. તેમ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/8-month-liones-cub-death-near-surajgadh-in-gir-1567139217.html

No comments: