Saturday, August 31, 2019

સાવરકુંડલાના કરજાળા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network

Aug 06, 2019, 05:55 AM IST
અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કરજાળા ખાતે આબોહવાકીય અનુકૂલિત ખેતી પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં ખેડૂતોને વાતાવરણ અનુકુલિત ખેતીના જુદા જુદા નિદર્શનનો આપવામાં આવે છે. જેમાં 58 ખેડૂતોને તાલીમો અને પ્રેરણા પ્રવાસો કરાવવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.એન.એસ.જોશીના માર્ગદર્શન હેઠળ કરજાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા આગામી સમયમાં ખેતીમાં કઈ બાબતોનું ધ્યાન આપવું અને વૃક્ષોના જતન માટે ખેડૂતોને સંકલ્પ લેવડાવ્યા હતા.

વૈજ્ઞાનિકોઅે પ્રોજેકટ સાથે વૃક્ષારોપણ કર્યું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-a-tree-planting-program-was-held-at-karjala-village-in-savarkundla-055510-5173408-NOR.html

No comments: