Saturday, August 31, 2019

જૂનાગઢની જટાશંકર જગ્યાએ માનવ મહેરામણ ઉમટ્યું, ખળખળ વહેતા ઝરણામાં સહેલાણીઓએ ન્હાવાની મજા માણી

  • બે દિવસમાં 1 લાખથી વધુ લોકોએ જટાશંકર આવ્યા
  • વડાલા પાસે ઘોઘમ ધોધમાં ન્હાવા લોકોની ભીડ જામે છે

Divyabhaskar.com

Aug 25, 2019, 01:20 PM IST
જૂનાગઢ: જૂનાગઢ ગિરનાર જંગલમાં આવેલ પ્રાચીન જટાશંકર મહાદેવની ગીરી કંદરા વચ્ચેની રમણીય જગ્યા કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં ખળખળ વહેતા ઝરણામાં સાતમ આઠમના તહેવારને લઇને લોકોની રોજ ભીડ જામે છે અને ન્હાવાનો આનંદ લીધો હતો. બે દિવસ દરમિયાન 1 લાખથી વધુ પ્રવાસીઓ ગીરનારના જંગલમાં ઉમટી પડ્યા હતા અને જંગલની મજા માણી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ થયો હતો. વન વિભાગે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઘોઘમ ધોધ નિહાળવા અને ન્હાવા લોકોની ભીડ જામે છે

માળીયાહાટીનાથી ત્રણ કિમી દૂર વડાલા ગામે મેઘલ નદી ઉપર નદીથી 25થી 30 ફૂટ ઉંચો ઘોઘમનો ધોધ આવેલો છે. કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો અહીં જોવા મળે છે. ઉપર ભાખરવડ ડેમમાં પાણી આવે એટલે આ
ધોધમાં પાણીની આવક સારી છે. આથી આ ધોધ નીચે ન્વાહા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.

(નિમિષ ઠાકર/ મહેશ કાનાબાર, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/in-the-jatashankar-place-of-junagadh-human-blessings-abound-the-guests-enjoy-a-bath-in-the-swirling-springs-1566711280.html

No comments: