Saturday, August 31, 2019

વડેરામાં બાળકીનંુ ઝેરી જનાવર કરડી જતાં મોત

DivyaBhaskar News Network

Jul 29, 2019, 05:55 AM IST
અમરેલી જિલ્લામા અપમૃત્યુની જુદીજુદી બે ઘટનામા બે વ્યકિતના મોત નિપજયા હતા. અમરેલીના વડેરામા બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેમજ ધારીના છતડીયામા મહિલાનુ વિજશોકથી મોત થયુ હતુ.અહી જીતુભાઇની વાડીએ ઓસરીમા સુતેલી મીની ચીનુભાઇ વસોયા (ઉ.વ.7) નામની પુત્રીને ઝેરી જનાવર કરડી જતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ બારામા દિલીપભાઇએ અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી છે. બનાવ અંગે એએસઆઇ બી.એચ.ચૌહાણ તપાસ ચલાવી રહ્યાં છે. જયારે ધારી તાબાના છતડીયા ગામે રહેતા સમજુબેન રવજીભાઇ ઉનાવા (ઉ.વ.55) નામના મહિલા પોતાના ઘરે પાણી ખેંચવાની ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતા સ્વીચ બોર્ડનો વાયર અડી જતા તેમનુ વિજશોક લાગવાથી મોત થયુ હતુ. આ બારામા રવજીભાઇ ભીખાભાઇ ઉનાવાએ ધારી પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે આર.કે.વરૂ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-child-poisoning-kills-in-vadra-055510-5116015-NOR.html

No comments: