Saturday, August 31, 2019

ગિરનાર રોપ - વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી

DivyaBhaskar News Network

Aug 27, 2019, 06:45 AM IST

ગિરનાર રોપ - વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. અગાઉ ટ્રેકટર ચડાવ્યા બાદ હવે ગિરનાર પર્વત પર જેસીબી પણ ચડાવાયું છે. જેસીબીના ત્રણ ભાગ કરી માલવાહક રોપ -વેની મદદથી અંબાજી મંદિર ખાતે પહોંચાડવામાં આવ્યું છે. જૂનાગઢની જીવાદોરી સમાન ગિરનાર રોપ -વે યોજનાને સત્વરે સાકાર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. આ માટે ઉષા બ્રેકો કંપનીને પણ જરૂરી સૂચના આપી કામગીરી યુદ્ધના ધોરણે થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અગાઉ બસ્સો પગથિયે ટ્રેકટરને પણ માલવાહક રોપ - વે દ્વારા લઇ જવામાં આવ્યું હતું. હવે મોટા પથ્થરોને આસાનીથી હટાવી શકે તે માટે જેસીબીની આવશ્યકતા જણાઇ હતી. ત્યારે માલ વાહક ટ્રોલીની મદદથી જેસીબીને ગિરનાર પર્વત પર લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું. બાદમાં જેસીબીના ત્રણ ભાગ કરવામાં આવ્યા અને અેક પછી એક ભાગને માલવાહક ટ્રોલી મારફતે અંબાજી મંદિર સુધી પહોંચાડી ત્રણેય ભાગને ફિટ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાકાય જેસીબી ગિરનારની ટોચે અંબાજી મંદિર ખાતે પહોંચી જતા હવે કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-girnar-rope-way-was-operated-on-a-war-footing-064513-5329474-NOR.html

No comments: