Saturday, August 31, 2019

તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના ફોરેસ્ટર ગુમ થયાને 36 કલાક બાદ પણ કોઇ ભાળ મળી નહીં

  • વનવિભાગ દ્વારા પોતાના સેન્ચુરી વિસ્તારને સ્કેનિગ કર્યો છતાં કોઈ ભાળ મળી નથી
  • ગિરગઢડા પોલીસ દ્વારા ફોરેસ્ટર ગુમ થયાની નોંધ વનવિભાગના અધિકારી દ્વારા જ કરાવવા આવી
  • ગુમ થયેલા ફોરેસ્ટરના પરિવાર દ્વારા કોઈ જ જાણ હજુ સુધી કરવામાં આવી નથી  

Divyabhaskar.com

Aug 06, 2019, 05:51 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં ફરજ બજાવતા ફોરેસ્ટર કટારા ગઇકાલે વહેલી સવારે એક 6 પેઇઝની સુસાઇડ નોટ લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ગુમ થયેલ છે. ત્યારે આ સુસાઇડ નોટમાં તેમના અધિકારી દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે અધિકારીનું ટોર્ચર મારાથી સહન નથી થતું તે માટે હું આ સુસાઇડ નોટ લખી જીવન લીલા સંકેલાવાનું જણાવ્યું હતું. જ્યારે આ સુસાઇડ નોટ મળ્યાને 36 કલાક બાદ પણ હજુ સુધી ફોરેસ્ટર કટારાની સુરાગ વનવિભાગ કે પોલીસ તંત્ર શોધી શકી નથી.
ગીરગઢડામાં વન વિભાગના અધિકારીઓએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં 7 માસથી પ્રમોશન લઈ ફોરેસ્ટરની પોસ્ટ ઉપર સંદીપ કટારા ફરજ બજાવતા હતા જ્યારથી તેઓ અહીં હાજર થાય ત્યારબાદ આ રેન્જના આરએફઓ પરિમલ પટેલને કોઈ કારણોસર માત્ર આ ફોરેસ્ટર ઉપર રાગદ્વેષ રાખી ફરજના ભાગરૂપે માનસિક ટોર્ચર કરવામાં આવતો હતો. ત્યારે અન્ય સ્ટાફની હાજરીમાં અપમાનિત કરવામાં આવતા હતા. તેના કારણે આ ફોરેસ્ટર સતત આવું અપમાનિત થયાની વાતોને લઈ માનસિક રીતે ભાંગી ગયેલા હતા. આ રેન્જના વનવિભાગના અધિકારીઓ દ્વારા હજુ સુધી સામેથી આ ફોરેસ્ટરના પરિવારને આખો દિવસ આ ઘટના અંગે જાણ કરી જ ન હતી. જ્યારે ફોરેસ્ટરના અન્ય સોર્સ દ્વારા પરિવારને ટેલિફોનિક જાણ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. બાદમાં પરિવાર દ્વારા ખરાઈ કરતા આ ઘટના સાચે જ બની હોવાનું સામે આવતા તેઓ પણ ખાંભા ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ ગીરગઢડા પોલીસ મથકમાં ગઇ કાલે રાત્રીના સમયે તુલસીશ્યામ રેન્જ આરએફઓ તેમજ કોઠારીયા રાઉન્ડ તેમના સાથી કર્મચારીઓ જાણવા જોગ ગુમ થયાની નોંધ કરાવવા દોડી ગયાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ગીરગઢડાના પીએસઆઇ શુ કહે છે
ગિરગઢડાના પીએસઆઇ આઘેરા મેડમ સાથે ટેલિફોનિક વાતચીતમાં કોઠારીયા રાઉન્ડના ગુમ થયેલા ફોરેસ્ટર અંગે શું તાપસ કરવાં આવી તેમજ આપને આ અંગે કોને જાણ કરી તેવું પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે હાલ તેમની તપાસ ચાલુ છે. હજુ સુધી ગુમ થયેલા ફોરેસ્ટરની કોઈ જ ભાળ મળી નથી. જ્યારે આ ગુમ અંગે વનવિભાગના અધિકારી દ્વારા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. એસીએફ નિકુંજ પરમારે આ ઘટનાને લઈ જણાવ્યું હતું કે અમો કોઠારીયા ઉપરાંત અન્ય રાઉન્ડ અને રેવન્યુ વિસ્તારનું સ્કેનિંગ કરી ચૂક્યા છીએ. પરંતુ હજુ સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી. જ્યારે અન્ય તેમના મિત્ર સર્કલ અને ખાનગી સ્થળોની હાલ તપાસ ચાલુ છે.
ગુમ થયેલા ફોરેસ્ટરની પત્ની શું કહે છે
સુસાઇડ નોટ લખી ગુમ થયેલા સંદીપ કટારાના પત્ની જોશનાબેન કટારાએ જણાવ્યું હતું કે, મારા પતિએ અગાઉ મને તેના રેન્જ ફોરેસ્ટર ઓફિસર પરિમલ પટેલ, રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા, ગોબર ઝાલા ધુધવાણા ફોરેસ્ટ ગાર્ડ, જે.ડી. સરવૈયા ઉર્ફે ઝીણો ટ્રેકર મને માનસિક ત્રાસ આપે છે. તેવું જણાવ્યું હતું અને વધુમાં મને ભવિષ્યમાં કંઈ પણ થાય તેના મોતના જવાબદાર આ લોકો જ છે. ત્યારે આ અંગે આજે વહેલી સવારે ગીરગઢડા પોલીસ મથકમાં લેખિતમાં મારી ફરિયાદ મેં સબમિટ કરેલી છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/missed-forester-not-get-after-36-hour-in-kothariya-round-of-khanbha-1565094253.html

No comments: