Saturday, August 31, 2019

સક્કરબાગ ઝૂ માં પ્રદુષણ અટકાવવા, પ્રાણીઓને ઘોંઘાટ ન થાય તે માટે બસ સેવા બંધ કરી બેટરી વાન શરૂ કરાશે

DivyaBhaskar News Network

Aug 14, 2019, 06:40 AM IST
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863 માં થઇ છે. આ પ્રાણી સંગ્રહાલય ભારતના જુના સંગ્રહાલયોમાંનું એક છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશીયાઇ સિંહોનું મુખ્ય કેન્દ્ર છે. અાશરે 198 અેકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટા પ્રાણીઓ જોવા મળે છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. ત્યારે સક્કરબાગ ઝૂ ના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતુુ હોય અને પ્રાણીઓને ઘોંઘાટ થતો હોવાને કારણે અાગામી દિવસોમાં બસ સેવા બંધ કરી દેવામાં આવશે અને 8 વ્યક્તિઓ બેસી શકે એવા 2 અને 4 વ્યક્તિઓ બેસી શકે તેવા 2 બેટરીવાળા વાન લાવવામાં આવશે. જૂનાગઢ સક્કરબાગ ઝુ માં સિંહ, વાઘ, દિપડા, હિપોપોટેમસ, બાયસન સહિતનાં પ્રાણીઓ રાખવામાં આવે છે અને તેના માટે સંવર્ધન કેન્દ્રો પણ ઉપલબ્ધ કરાયા છે. પરંતુ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ બસ સેવાથી સક્કરબાગમાં પ્રદુષણ ફેલાય છે અને બસના અવાજથી પ્રાણીઓને ખલેલ પહોંચે છે. ત્યારે પ્રદુષણ રોકવા અને બસનો ઘોંઘાટ બંધ કરવા અઠવાડીયામાં બસ સેવા બંધ કરી તેની જગ્યાએ પ્રવાસીઓ માટે 4 બેટરી વાન લઇ આવવામાં આવશે જેથી પ્રદુષણ ન ફેલાય અને પ્રાણીઓને ખલેલ પણ પહોંચે નહિ. - ફાઇલ તસ્વીર

 બ્રેકિંગ

બેટરીવાન તૈયાર થઇ રહ્યા છે

સક્કરબાગ ઝુ માં પ્રવાસીઓ માટે આગામી દિવસોમાં બેટરી વાન શરૂ કરવામાં આવશે. આ બેટરી વાન રાજકોટમાં તૈયાર થઇ રહ્યા છે અને થોડા દિવસોમાં સક્કરબાગ ઝુ માં જોવા મળશે. અભિષેક કુમાર, સક્કરબાગ ઝુ ડાયરેક્ટર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-to-prevent-pollution-in-the-sakkarbagh-zoo-the-bus-service-will-be-stopped-by-the-bus-service-so-that-the-animals-are-not-disturbed-064007-5238326-NOR.html

No comments: