Saturday, August 31, 2019

જમજીર ધોધ પાસે ડૂબવાથી એક અને ગાઠીલા ગામની નદીમાં ડૂબવાથી બે યુવાનના મોત

  • ગાઠીલાની નદીમાં ડૂબવાથી મિત રસિકભાઈ જોશી અને પ્રદીપ જગજીવન જોશીના મોત
  • જામવાળા ગીરના જમજીર ધોધ પાસે ડૂબવાથી ભૂપેન્દ્ર વાળા નામના યુવાનનું મોત

Divyabhaskar.com

Aug 24, 2019, 06:59 PM IST
જૂનાગઢ/ગીર ગઢડાઃ વંથલી તાલુકાના ગાઠીલા ગામે નદીમાં ડૂબી જતા મિત રસિકભાઈ જોશી(ઉ.વ.14, અમરેલી) અને પ્રદીપ જગજીવન જોશી(ઉ.વ.40,રાજકોટ) બે યુવાનોના મોત થયા છે. યુવાનો ડૂબી જવાના સમાચાર મળતા જૂનાગઢ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને બંને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બન્નેના મૃતદેહને જૂનાગઢ પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે જામવાળા ગીરના જમજીર ધોધ પાસે ડૂબી જવાથી સુત્રાપાડાના વાવડી ગામનાં યુવાન ભૂપેન્દ્ર વાળા નામના યુવાનનું મોત થયું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/one-died-near-jamjir-falls-and-two-died-in-gathila-village-river-due-to-drowning-1566651653.html

No comments: