Saturday, August 31, 2019

ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માલવાહક ટ્રોલીથી 3 પાર્ટ કરી JCB અંબાજી મંદિરે પહોંચાડાયું

  • જેસીબીને અંબાજી મંદિરના પરિસર સુધી પહોંચાડી કામ શરૂ કરવામાં આવ્યું  

Divyabhaskar.com

Aug 26, 2019, 05:05 PM IST
જૂનાગઢ: ગીરનાર રોપ વેનું કામ ઝડપી કરવા માટે જેસીબીને ત્રણ પાર્ટમાં કરી માલવાહક ટ્રોલીથી ગીરનારની ટોચ અંબાજી મંદિરે પહોંચાડવામાં આવ્યું છે. તેમજ જેસીબી વડે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ ગીરનાર 1200 પગથીયા સુધી માલવાહક ટ્રોલીથી ટ્રેક્ટર લઇ જવાયું હતું. હવે જેસીબીને અંબાજી મંદિરના પરિસર સુધી પહોંચાડી કામ શરૂ કરવામાં આવ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં રોપ વેનું કામ પૂરૂ થાય તેવી શક્યતા છે. ઉષા બ્રેકો કંપની દ્વારા ઉપર અને નીચે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેસીબીની મદદથી મોટા પથ્થર આસાનીથી દૂર કરી શકાશે.
(અતુલ મહેતા, જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/jcb-reached-on-girnar-hill-by-goods-trolly-at-junagadh-1566810875.html

No comments: