Saturday, August 31, 2019

જટાશંકર જતાં પ્રવાસીઓને વન કર્મીએ અટકાવતાં લોકોમાં રોષ

DivyaBhaskar News Network

Aug 24, 2019, 06:40 AM IST
સાતમ આઠમના તહેવારને લઇને લોકો હરવા ફરવા નિકળી ગયા છે. દરમિયાન જૂનાગઢના જંગલ વિસ્તારમાં આવેલ કુદરતી રમણીય અને પાણીના ઝરણાં જયાં વહે છે તે જટાશંકર મહાદેવના મંદિર અને જંગલ તરફ લોકોની ભીડ રહે છે. જોકે કેટલાક પ્રવાસીઅોને વન વિભાગના કર્મીઓ જટાશંકરના જંગલમાં પ્રવેશ કરવા ન દેતા આવા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. દરમિયાન આ અંગે ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જટાશંકરના જંગલમાં સવારના 8 થી લઇને સાંજના 4 વાગ્યા સુધીજ પ્રવેશની મંજૂરી છે. ત્યાર બાદ કોઇને જવા દેવામાં આવતા નથી. કારણ કે જંગલમાં ગયા બાદ પરત આવતા સહેજ 2 કલાક તો નિકળી જાય. પરિણામે સૂર્યાસ્ત પહેલા જંગલ ખાલી કરાવવું પડે છે. આ માટે માટે 4 વાગ્યા પછી જટાશંકર મહાદેવ મંદીર કે જંગલમાં લોકોને પ્રવેશ અપાતો નથી. બાકી 8 થી 4ની વચ્ચે કોઇ પણ પ્રવાસી જઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-fury-in-people-stopping-tourists-from-jatashankar-064012-5307086-NOR.html

No comments: