Saturday, August 31, 2019

અમરેલીમા લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વૃક્ષારોપણ અને

DivyaBhaskar News Network

Jul 30, 2019, 05:55 AM IST

અમરેલીમા લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વૃક્ષારોપણ અને રકતદાન શિબિરનુ આયોજન કરાયુ હતુ. અહી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે આપણે જીવનના અંત સુધી લાકડા અને ઓકસિજન મળે તેટલા વૃક્ષો ઉછેરવા જ જોઇએ.લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇનના નવનિયુકત પ્રમુખ ભરતભાઇ ચકરાણી તેમજ કાંતીભાઇ વઘાસીયાના માર્ગદર્શન તથા અરજણભાઇ શીંગાળાના સહયોગથી રકતદાન શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અહી અનેક લોકોએ હોંશેહોંશે રકતદાન કરી પવિત્ર ફરજ બજાવી હતી. તો આગેવાનોએ પર્યાવરણ બચાવવા સંદેશ પાઠવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, કૌશિક વેકરીયા, ડી.કે.રૈયાણી, રમેશભાઇ કાથરોટીયા, ચતુરભાઇ ખુંટ, મનુભાઇ દેસાઇ, સુરેશભાઇ દેસાઇ, દકુભાઇ ભુવા, જયેશભાઇ નાકરાણી, ડો. વિરલ ધડુક, શિવલાલ હપાણી, ડો. જયદીપ સાવલીયા, હિરેનભાઇ બાંભરોલીયા, નરેશભાઇ, હરેશભાઇ, અક્ષય શિંગાળા, જયેન્દ્ર શિંગાળા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-plantation-by-the-amrelima-lions-club-of-amreli-maine-and-055509-5123557-NOR.html

No comments: