Saturday, August 31, 2019

ત્રાકુડામાં ઘરની 8 ફૂટની દીવાલ કૂદી એક સિંહ દ્વારા પાડાનું મારણ

  • ઘરનાના ફરજામાં બાંધેલ પાડાનું મારણ કર્યું
  • માલિક જાગી જતા હાકલા પડકારા કરતા સિંહ દીવાલ કૂદી ભાગ્યો

Divyabhaskar.com

Jul 28, 2019, 03:40 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે ગઈકાલે એક સિંહ અનામત જંગલ વિડી છોડી મારણ અને પાણીની તલાશમાં વહેલી સવારે ગામની માનવ વસાહતમાં આવી ચડ્યો હતો. જ્યારે સિંહ શેરીઓ, ગલીઓમાં મારણ માટે આંટાફેરા કરતો હતો ત્યારે વિનુભાઈ બાલુભાઈ કલસરિયાના ઘરની બાજુમાંથી પસાર થયો હતો. ત્યારે ઘરના ફરજામાં બાંધેલા ભેંસના પાડાનો અવાજ સાંભળી ગયો અને ઘરની 8 ફૂટની દીવાલ કૂદી પાડાનું મારણ કરી નાખ્યું હતું.
વન વિભાગની ટીમ દોડી આવી
પાડાની મરણચીંસ સાંભળી ઘરના તમામ સભ્યો જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોયું તો સિંહ પાડાની માથે ચડી બેઠો હતો. બધા સભ્યોએ એકસાથે હાકલા પડકારા કરતા સિંહ જે દીવાલ કૂદી ઘરમાં ઘૂસ્યો હતો તે દીવાલ કૂદી મારણ મૂકી ભાગ્યો હતો. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને મારણને ઘરની બહાર સહી સલામત અનમાત જંગલમાં મૂકી આવ્યા હતા.
(હિરેન્દ્રસિંહ રાઠોડ,ખાંભા)

No comments: