Friday, November 7, 2008

સિંહણ અને તેના બે બચ્ચાને જૂનાગઢ ઓબ્ઝર્વેશનમાં રખાયા

રાજકોટ તા.૫

ગોંડલ પંથકમાં ખડવંથલીની વીડીમાંથી પકડાયેલી સાવરકૂંડલા રેન્જની સિંહણ અને તેના બે નર બચ્ચાને જૂનાગઢ સકકરબાગ ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યા છે. સિંહણે અન્ય રેન્જમાં પ્રાણીઓના શિકાર કર્યા હોવાથી મેડિકલ ચેકઅપ કરવું જરૃરી બન્યું છે. આ સિંહ પરિવારને કઈ રેન્જમાં છોડવા તે અંગે વન ખાતાના અધિકારીઓ મૂંઝવણ અનુભવી રહ્યાં છે.

* અન્ય પ્રાણીઓના શિકાર કરેલા હોવાથી મેડિકલ ચેકઅપ કરાશે

ખડવંથલી પાસે પકડાયેલા સિંહણ અને એમના પરિવારને જૂનાગઢ સકકરબાગ ખાતે લઈ જવામાં આવ્યા છે. પકડાયેલી સિંહણ અને એમના બચ્ચાઓ વનઅધિકારીઓ માટે એક અભ્યાસનો વિષય બની ગયા છે. સિંહોને એમની ટેરીટરી નકકી જ હોય છે. આ સિંહણની ટેરીટરી સાવરકુંડલા પાલિતાણા છે એ વિસ્તારમાં વસતા સિંહ પરિવારો જ એમને અને એમના બચ્ચાઓને રહેવા માટે નો-ઓબ્જેકશન સર્ટી કૂદરતી રીતે આપે છે. બીજી રેન્જમાં જાય તો કદાચ સિંહણને સ્વીકારી લે પણ બીજા નર બચ્ચાનો આવાસનો પ્રશ્ન થાય એમ છે. પરિવારને વિખુટો પાડી શકાય એમ નથી. આ સિંહણ અને બીજા બચ્ચાઓએ રેન્જની બહાર નીકળીને અવનવા વિસ્તારના જૂદા-જૂદા પ્રાણીઓના શિકાર કર્યા છે. આ દરમિયાન કોઈ એમને હિડન મેજર ઈન્ફેકશન તો નથી ને ? એની પણ તપાસ કરાશે. આ માટે જૂદાજૂદા પેથોલોજી ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, કોઈ ચેપ બેકટેરિયા કે વાઈરસ કે ફંગલ લાગી ગયો હોય તો એમને આઈસોલેશનમાં રાખીને સારવાર આપવી પડે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24950

No comments: