Saturday, November 8, 2008

૧૮૨૨માં બગડૂનાં અજા ભગતે ગિરનારની પ્રથમ પરિક્રમા કરી હતી

જૂનાગઢ,તા.૭

ભગવાન શ્રીકૃષ્ણએ ગીરનાર પરિક્રમા કરી હોવાનાન પુરાણોમાં થયેલા ઉલ્લેખ અને ર્ધાિમક માન્યતા બાદ વચ્ચેના વર્ષોમાં પરિક્રમાનો ઉલ્લેખ નથી. પરંતુ નોંધાયેલી વિગતો અનુસાર વર્ષ ૧૮રર માં બગડુના અજાભગત અને તેના સેવકોએ ગીરનારની પરિક્રમા કરેલ. ત્યારથી અત્યાર સુધી પરિક્રમાનો સીલસીલો યથાવત જળવાઈ રહ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પરિક્રમા કર્યા બાદ બંધ થયેલી પરિક્રમા બગડુના અજાભગતે તેના સંઘ સાથે વર્ષ ૧૮રર (વિ.સ.૧૯૩૮) માં ફરી શરૃ કરી હતી. અજાભગતના સેવકો તેમજ જૂનાગઢની આસપાસના ગ્રામજનો પણ પરિક્રમામાં જોડાયા હતા. સાથે ધુન-ભજન મંડળી પણ જોડાઈ હતી. અને આ સંઘે પાંચ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરેલ. અજાભગત અને તેના સેવકોની સમાધી આજે પણ બગડુ ગામના પાદરમાં હયાત છે.
બસ, ત્યારથી પુનઃશરૃ થયેલી ગીરનાર પરિક્રમા આજ સુધી ચાલુ જ છે. ચાલુ વર્ષ ર૦૦૮માં ગીરનારની સળંગ ૧૮૭ મી પરિક્રમા યોજાશે. દર વર્ષની પરિક્રમામાં ઉતરોતર ભાવિકોનો વધારો થઈ રહ્યો છે. તેમાય છેલ્લા દાયકામાં તો પરિક્રમામાં આવનાર ભાવિકોની સંખ્યા લાખ્ખોએ પહોંચી છે. ગત વર્ષે ૯ લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાયા હતા. વરસાદ, વાતાવરણ, ખેતીની સીઝન વગેરે બાબતો પરિક્રમામાં આવતા ભાવિકોની સંખ્યા પર અસરકર્તા બની રહે છે. ચાલુ વર્ષે સારા વરસાદથી રેકર્ડ બ્રેક ભાવિકો પરિક્રમામાં ભાગ લે તીવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=25171

No comments: