Tuesday, November 4, 2008

કોડીનારની શિંગવડા નદીમાંથી મૃત હાલતમાં અજગર મળ્યો

Bhaskar News, Kodinar
Monday, November 03, 2008 23:58 [IST]

કોડીનારની શિંગવડા નદીમાં સાડા આઠ ફૂટ લાંબુ માદા અજગર મૃત હાલતમાં પડયું હોવા અંગે પ્રકતિ પરિવારના પ્રમુખે વન કર્મીઓને જાણ કરતા વન કર્મીઓએ અજગરની લાશ બહાર કાઢી પી.એમ.માટે પશુ દવાખાને ખસેડયું હતું. અજગરના માથાના ભાગે કોઈએ ગંભીર ઈજા પહોચાડી હોવાનું ખુલ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારની શિંગવડા નદીમાં સાડા આઠ ફૂટ લાબુ માદા અજગર મૃત હાલતમાં પડયું હોવાનું પ્રકતિ પરિવારના પ્રમુખ દિનેશ ગોસ્વામિએ જામવાળા રેન્જ ફોરેસ્ટરને જાણ કરી હતી. જાણ થતા આરએફઓ કુરેશી, છારાબીટ કે.એમ. પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને નદીમાં પડેલા મૃત અજગરને બહાર કાઢી પી.એમ. માટે પશુદવાખાને મોકલ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગત રાત્રે ૧૧ કલાકે આ અજગર પુલ પાસેથી દરગાહ બહાર ઝાડ પાસે દેખાતા લોકોનું ટોળુ એકત્રીત થઈ ગયું હતું અને પથ્થર તથા લાકડાથી અજગરને મારમારી શિંગવડા નદીમાં ફેરી દીધુ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

Source:

No comments: